SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ છક કિ ક ઉહિ કિ હિ કિ ઉહિ હ હ હ હ ર ીર ર ર ર ર ર | રાખવી. મુખ્યવૃત્તિએ તો સાંજે બે ઘડી પહેલાં ને સવારે બે ઘડી બાદ ભોજન કરવું યોગ્ય છે, માટે જ સર્વથી જઘન્ય પ્રત્યાખ્યાન પ્રભાતકાળે ૧ મુહૂર્ત પ્રમાણનું નમુક્કારસહિયંનું કહ્યું છે, કદાચ તથા પ્રકારની કાર્યવ્યગ્રતાને અંગે પ્રત્યાખ્યાન ન કરે તો પણ (રાત્રિભોજનના ત્યાગીએ) સૂર્યોદય અને સૂર્યાસ્તની અપેક્ષા તો રાખવી જ, નહિતર રાત્રિભોજનનો દોષ લાગે. વળી (સૂર્યાસ્ત પહેલાં વા સૂર્યાસ્ત બાદ) અંધકાર થતાં રાત્રિભોજનનો ત્યાગી લજજા આદિ કારણથી (રાત્રિકાળનો સ્પષ્ટ વ્યંજક) દીપક વિગેરે કરે નહિ, તેથી પુન: ત્રસાદિકની હિંસાનો નિયમભંગ અને મૃષાવાદ વિગેરે અધિક દોષ પણ પ્રાપ્ત થાય છે. માટે સૂર્યના પ્રકાશમાં જ ભોજન કરી લેવું, સૂર્યાસ્ત ન થવા દેવો.) કહ્યું છે કે “ન કરેમિ = પાપ ન કરું એમ કહીને (પ્રત્યાખ્યાન કરીને) પુનઃ તે જ પાપ આચરે તો પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાવી છે. વળી પાપ કરીને રાત્રિભોજન કરીને) પોતાને વ્રતશુદ્ધિવાળો-વિરતિવંત જાહેર કરે તે મનુષ્ય (દંભ દર્શાવીને) બમણું પાપ કરે છે અને બાળકની પેઠે મંદત (મૂર્નાઈ) જાહેર કરે છે. રાત્રિભોજનની નિયમની આરાધનાવિરાધનામાં ૩મિત્રોનું દૃષ્ટાંત કોઈ એક ગામમાં ભદ્રક, મિથ્યાષ્ટિ અને શ્રાવક એ ત્રણ મિત્ર હતા. તે એકવાર જૈનાચાર્યની પાસે ગયા, ગુરૂએ રાત્રિભોજન વિગેરે અભક્ષ્ય ન આચરવાનો ઉપદેશ આપ્યો, શ્રાવકે રાત્રિભોજનાદિ અભક્ષ્યોનો નિયમ ઉત્સાહપૂર્વક લીધો, ભદ્રકે ઘણો ઘણો વિચાર કરીને ફક્ત રાત્રિભોજનનો નિયમ લીધો અને મિથ્યાદષ્ટિએ કંઈપણ નિયમ ન લીધો, ત્યારબાદ શ્રાવકનું અને ભદ્રકનું સર્વ કુટુંબ પણ રાત્રિભોજનના નિયમવાળું થયું. પરન્તુ શ્રાવક ધીરેધીરે નિયમમાં શિથિલ થયો, ભદ્રકાદિ ઠપકો આપે છે તો પણ હમણાં રાત્રિ ક્યાં કિ કિ દ જી હી હીટ ફિ બી બી પી કિ કિ વીર ર ર વીહ હીર | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy