________________
હિંસાની સમસ્યાઃ
સંદર્ભ સતાનો
1,
iy'.
I
સત્તા અને હિંસાનું ગઠબંધન અત્યંત પ્રાચીન છે. શક્તિશાળી લોકો સત્તા મેળવે છે એ માટે હિંસાની સહાય પણ લેવામાં આવે છે. આજની ચૂંટણીલક્ષી હિંસા એની જ નવી આવૃત્તિ છે. તમામ લોકોમાં સમાન બુદ્ધિ અને સમાન શારીરિક શક્તિ નથી હોતી. આ બુદ્ધિ અને શક્તિની વિષમતા હિંસાનો દરવાજો ખોલી નાખે છે. પ્રાકૃતિક વાતાવરણ, ભૌગોલિકતા, ભાષા, સભ્યતા અને સંસ્કૃતિની સમાનતા એક એકમ રચે છે.આપણી પૃથ્વી ઉપર એવા અનેક એકમો બનેલા છે. શક્તિશાળી લોકો આ એકમોને પોતાના અધિકાર નીચે લેવા ઇચ્છે છે. આવો
ક્રમ રાજતંત્રમાં પણ પ્રચલિત થયો અને લોકશાહીમાં પણ ચાલી રહ્યો છે. રાજતંત્રમાં રાજ્યવિસ્તારના આધારે ચાલતો હતો અને લોકશાહીમાં પક્ષવિસ્તારના આધારે તે ચાલી રહ્યો છે. સાચા અર્થમાં અધિકાર-સ્થાપનાની જેટલી ચિંતા છે એટલી ચિંતા હિંસાની નથી. હિંસા વધે કે ઘટે એ પ્રશ્ન બીજા ક્રમે છે. પહેલા ક્રમનો પ્રશ્ન એટલો જ છે કે પક્ષની શક્તિ વધે છે કે ઘટે છે.
લોકશાહી પણ ખતરનાક
કેન્દ્રિત શક્તિમાં હિંસાની સંભાવના વિશેષ રહે છે. લોકશાહી એટલે શક્તિનું વિકેન્દ્રીકરણ. જો તંત્ર વિકેન્દ્રિત ન હોય તો લોકતંત્ર રાજતંત્ર કરતાં
મહાવીરનું અહિંસા-દર્શન - 39
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org