________________
નથી ? અને જો નથી તો શું ચિંતા દાહની અપેક્ષાએ સાધનાનો સૌમ્યમાર્ગ પસંદ ન કરી શકાય. રાજનીતિના સ્તરે કરવામાં આવતા અનશનમાં શું આત્મશુદ્ધીકરણની ભાવનાછે? જો હોય તો તેના ઉદેશની શુદ્ધિનો વિચાર અપેક્ષિતછે. જેમાં ઉદેશશુદ્ધિ અને સાધનશુદ્ધિ બંને હોય એવા અનશનને પ્રશસ્ત અનશન માની શકાય.
અહિંસા છે મોહવિલયની સાધના
ઘણા લોકો ભાવુકતાવશ આત્મદાહ અથવા સતીપ્રથા જેવી પ્રવૃત્તિ અને અનશનને એક જ ત્રાજવે તોલવા ઇચ્છે છે. તેમને એક ત્રાજવે તોલી શકાય જો અનશન પણ આવેશથી પ્રેરિત હોય તો. જે અનશન સમાધિમરણની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવેછે તેમાં આવેશ માટે કોઈ અવકાશ નથી હોતો. તે નિતાંત અભયની સાધના છે. માનવીના મનમાં સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે. ભય એક આવેશ છે. ક્રોધ, લોભ અને અહંકારના પણ આવેશ હોય છે. આ આવેશો ભયના આવેશને દબાવી દે છે ત્યારે માણસ આકસ્મિક રીતે ઝેર વગેરે ખાઈને મૃત્યુ પામી શકે છે પરંતુ તે મૃત્યુના ભયથી મુક્ત થઈને, અભયની સાધના કરી શકતો નથી. અભયની સાધના એ જ કરી શકે છે કે જેનો શરીર પ્રત્યેનો મોહ વિલીન થઈ જાય છે. ભગવાન મહાવીરની ભાષામાં મોહવિલયની સાધના એ જ અહિંસા છે.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 38
For Personal and Private Use Only.
www.jainelibrary.org