________________ અહિંસા સ્વતંત્ર ચિંતol અહિંસા માટે મસ્તિષ્કીયપ્રશિક્ષણ. એના વગર નિશ્ચિત દિશામાં આગળ વધી શકાતું નથી. અહિંસાનો પાઠ એકસો વખત વાંચી લેવા છતાં કોઇ અહિંસક નથી બની જતું. પાઠ પ્રશિક્ષણનું એક અંગ હોઇ શકે, પરંતુ તે પ્રશિક્ષણનો સંપૂર્ણ અભ્યાસક્રમ નથી. એ માટે અનેક તત્વોનો સમાહાર અપેક્ષિત છે. શસ્ત્ર-નિર્માણ, પ્રયોગ અને પરીક્ષણ માટે કેટલીક મોટી યોજનાઓ અને કાર્યક્રમો ચાલી રહ્યાં છે. એ માટે હિંસામાં વિશ્વાસ ધરાવનારાઓની એક મોટી ફોજ તૈયાર છે. હિંસા સ્વયં નિષેધાત્મક છે. તે પોતે તો ભયંકર છે જ અને તેનાં પરિણામો પણ ભયંકર છે. પરિણામની ભયંકરતા જોઇને લોકો અહિંસાની વાત કરે છે. અહિંસાનું સ્વતંત્ર ચિંતન નથી. અહિંસા સ્વયં વિધાયક છે અને તેનાં પરિણામો પણ વિધાયક છે. પરંતુ એ માટે આપણું મસ્તિષ્ક તૈયાર નથી. શું મસ્તિષ્કના પરિવર્તનની વાત વિચારવામાં આવશે ખરી ? શું આજના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક યુગમાં અહિંસાને પ્રયોગની ભૂમિ પ્રાપ્ત થશે ખરી ? આ પ્રશ્નોના ઉત્તરો શોધવાના છે, આપણે સીએ શોધવાના છે અને ખાસ તો એ લોકોએ શોધવાના છે કે જેઓ હિંસાથી | ભયભીત નથી, પરંતુ અહિંસાની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરે છે અને જેમના કંઠે અહિંસાની આવીસ્વરલહરીયો અવિરત ગુંજતી રહે છે. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મ કલ્યાણક વર્ષની ઉજવણી પ્રસંગે આ ચિંતન વિશેષ મહત્વ ધરાવે છે. જીવન For por અનેકાન્ત ભારતી પ્રકાશન, નવ PHOS I For Personal and private Use o Jain Educationa intentati www.jalnelibrary.org