SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું અંગછે – સર્જનાત્મક દૃષ્ટિકોણ. તેનું પ્રતીક છે - ઉદર, ઉદર શક્તિનો સ્રોત છે. તે શક્તિસ્રોત સાથે જોડાઈ રહેવાનું છે. એવો દઢ સંકલ્પ હોવો જોઈએ કે અમે શક્તિસ્રોત સાથે નિરંતર જોડાયેલા રહીશું. સર્જનાત્મક દૃષ્ટિકોણ દ્વારા શક્તિનો સ્રોત ઉદ્ઘાટિત થઈ જાય છે. જે વ્યક્તિ શક્તિસ્રોત સાથે જોડાયેલી રહેતી નથી. તે એક દિવસ પોતાની શક્તિને ઉપયોગમાં લઈ શકે છે, પરંતુ બીજા દિવસે ખાલી થઈ જવાની સ્થિતિમાં આવી જાય છે. શક્તિસ્રોત સાથે નિરંતર જોડાયેલાં રહેવું એ વિકાસનાં શિખરોને સ્પેશવા સમાન છે. આ પાઠને દઢતાપૂર્વક હૃદયંગમ કરનાર વ્યક્તિ લક્ષિત શિખરને પામી શકે છે. આઠમું અંગ છે - સાધુ-સાધ્વી. તેમના દ્વારા કર્તવ્યબોધ અને કાર્યક્ષમતાનો વિકાસ કરવાનો છે. જેનામાં પોતાના કર્તુત્વનો બોધ (ભાન) નથી હોતો તે પોતાની કાર્યક્ષમતાનો અહેસાસ નથી કરતો, તે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. કર્તવ્યબોધ સફળતાનું મુખ્ય ઘટક છે. - નવમું અંગ છે - પગ. સંઘપુરુષના પગ છે – શ્રાવક અને શ્રાવિકા. તેમની પાસેથી આપણે ગતિશીલતા મેળવવાની છે. ગતિશીલતા એટલે શાશ્વત અને પરિવર્તનમાં વિશ્વાસ, શાશ્વત અને પરિવર્તનનો યોગ ન તો માત્ર શાશ્વત કે ન તો માત્ર અશાશ્વત. શાશ્વત અને પરિવર્તનનો યોગ જ ગતિશીલતા આપી શકે છે. સંઘપુરુષઃ એક પરિકલ્પના યોગક્ષેમ વર્ષનો મુખ્ય ઉદ્દઘોષ છે - સંઘપુરુષ ચિરાયુ બને. તે સંઘપુરુષનું સમગ્ર રૂપે રેખાંકન આ સ્વરૂપે કરી શકાય : શરીરનો સંઘપુરુષનો ફલિત અવયવ અવયવ મસ્તિષ્ક આચાર આત્માનુશાસન કરોડરજ્જુ જિનવાણી. પરસ્પરતાનો વિકાસ મહાવીરનું અહિંસા-દર્શન - 207 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy