SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તે વ્યક્તિ, તે સંગઠન શક્તિશાળી અને પ્રાણવાન હોયછે, જેનામાં આ નવ અંગોનો સંતુલિક વિકાસ થઈ જાય છે. પ્રથમ અંગ છે - આત્માનુશાસન. સંઘપુરુષનો નિયામક અનુશાસ્તા છે - આચાર્ય. તેની પાસેથી આપણે આત્માનુશાસન શીખવાનું છે. બીજું અંગ છે – જિનવાણી. સંઘપુરુષની કરોડરજ્જુ છે - જિનવાણી. તેની પાસેથી આપણે પરસ્પરતાનો સહજ વિકાસ શીખવાનો છે. v ત્રીજું અંગ છે – અનુશાસનનિષ્ઠા. શરીરમાં સૌ પ્રથમ મુખને જોવામાં આવે છે. શરીરનું સૌંદર્ય મુખમાં સમાયેલું છે. અનુશાસનનિષ્ઠામાં આપણું સૌંદર્ય સમાયેલું છે. આપણે આત્માનુશાસન પણ શીખવાનું છે અને સાથેસાથે અનુશાસનનિષ્ઠા પણ શીખવાની છે. માત્ર આત્માનુશાસન નહિ. માત્ર આત્માનુશાસનને આધારે વ્યક્તિ, વ્યક્તિ જ બની રહે છે. તે સંઘની નથી થતી. આત્માનુશાસનની સાથે સાથે અનુશાસનનિષ્ઠાનો યોગ કરવાનોછે. તે યોગ સંઘ અને વ્યક્તિ બંને માટે કલ્યાણકારી બને છે. ચોથું અંગછે - સ્વાધ્યાય. કંઠનો આપણે ઉપયોગ કરવાનો છે, અભિવ્યક્તિની ક્ષમતા પ્રગટ કરવાની છે. વિચાર અને ભાવનાના સંપ્રેષણની તે ક્ષમતા જગાડવાની છે, જેથી આપણે આપણા વિચારો અને આપણી ભાવનાઓના સંપ્રેષણની ક્ષમતા આગળ વધારી શકીએ. મજબૂત ખભા જવાબદારીના ભાનના પ્રતીક છે. તેમની પાસેથી આપણે જવાબદારીનું ભાન મેળવવાનું છે - જવાબદારીના ભાનનો વિકાસ કરવાનો છે. એ વિનય નથી કે જેમાં વ્યક્તિ માત્ર હાથ જોડીને બેસી રહે, પરંતુ વિનયનો ફલિત આપણે મેળવવાનો છે - જવાબદારીનું ભાન. પોતાની જવાબદારીનું ભાન કરી શકીએ. છઠ્ઠું અંગછે - ધ્યાન. ધ્યાનનો ઉદ્દેશછે – હૃદયપરિવર્તન. જે જીવનનું એક મહત્ત્વનું પાસું બનેલું છે. તેના દ્વારા ચેતનાની નિર્મળતાનો વિકાસ કરવાનો છે, પોતાની ચેતનાની નિર્મળતા વધારવાની છે. અંતઃચેતનાને વધારે નિર્મળ અને પવિત્ર કરવાની છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન 206 For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy