________________
પારમાર્થિક સત્ય અને શંકરાચાર્યના પારમાર્થિક સત્ય વચ્ચે કોઈ સંબંધ નથી. આચાર્ય કુંદકુંદ દક્ષિણ ભારતમાં જન્મ્યા હતા. એ જ ભૂમિ અને એ જ ક્ષેત્ર તેમની તપોભૂમિ હતી. અદ્વૈત દર્શન અને આચાર્ય કુંદકુંદના નિશ્ચય તથા દ્રવ્યાર્થિક નયના પ્રતિપાદનમાં અચરજપ્રેરક સમાનતાછે. શંકરાચાર્યને જૈન દર્શનના ગ્રંથો ઓછા ઉપલબ્ધ થયા એમ માનવામાં આવેછે. તેમણે અનેકાંતના વિષયમાં જે પ્રશ્નો રજૂ કર્યા તે મૂળ સ્પર્શી નથી. એ અંગે અનેક વિદ્વાનોએ એવો અભિમત પ્રગટ કર્યો કે તેમને જૈન દર્શનના મૌલિક અને પ્રામાણિક ગ્રંથો ઉપલબ્ધ ન થયા તેથી તેમણે અનેકાંતના વિષયમાં આવા પ્રશ્નો રજૂ કર્યા. જો મૂળ ગ્રંથો ઉપલબ્ધ હોત તો કદાચ આવું ન થાત. શક્ય છે કે તેમને પ્રમાણ મીમાંસા અને જ્ઞાન મીમાંસા વિષયક મૌલિક ગ્રંથો ઉપલબ્ધ ન થયા હોય, પરંતુ આચાર્ય કુંદકુંદના ગ્રંથોથી તેઓ અવશ્ય પરિચિત હોવા જોઈએ. તે હજુ વિકલ્પસિદ્ધ તથ્ય છે. તેને પ્રમાણસિદ્ધ કરવા માટે ગંભીર અધ્યયનની આવશ્યકતાછે, પરંતુ ઉક્ત સંભાવના સ્વીકારવા માટે પર્યાપ્ત કારણો ઉપલબ્ધ છે.
જીવનમુક્તનું લક્ષણ
શંકરાચાર્ય માત્ર દાર્શનિક નહોતા. તેમનાં માત્ર દાર્શનિક વક્તવ્યોથી લોકમાનસ પ્રભાવિત નથી થયું. જો તેઓ માત્ર દાર્શનિક હોત તો તર્કની જાળમાં પોતે અટવાઈ જાત અને બીજા લોકોને પણ અટવાવી દેત. તેમનામાં અધ્યાત્મ અને દર્શન બંનેનો યોગ હતો. તેમની એક વિશેષતા હતી. આત્મિક અનુભૂતિની છાયામાં ઉછેર માપતું દર્શન અધિક સ્પષ્ટ અને અધિક ગ્રાહ્ય હોયછે. મધ્યકાલીન દર્શનની પરંપરામાં આવો યોગ થોડાક આચાર્યોને જ પ્રાપ્ત થયો છે. ઘણા બધા દાર્શનિકો માત્ર તાર્કિક થયાછે. તેમના તર્ક મુશ્કેલીથી સમજાયછે. પરંતુ સમજાયા પછી તે ધ્યેય તરફ આગળ લઈ જતા નથી. આધ્યાત્મિક વ્યક્તિ અતીત અને ભવિષ્યની બારીઓ બંધ કરીને વર્તમાનમાં જીવવાનું જાણે છે તેથી તે ભીતરમાં અતર્કનું જીવન જીવેછે અને બહા૨ તર્કનો ઉપયોગ કરેછે. શંકરાચાર્યની ભાષામાં જીવનમુક્તનું લક્ષણ આ પ્રમાણે છે –
અતીતાનનુસંધાનં, ભવિષ્યદવિચારણમ્। ઔદાસીન્યમપિ પ્રાપ્તે, જીવનમુક્તસ્ય લક્ષણમ્ ॥
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 170
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org