SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વેદાંતનો પ્રથમ ગ્રંથછે. બાદરાયણે બ્રહ્મસૂત્ર લખ્યું. તેમાં ઔપનિષદ બ્રહ્મવાદની દાર્શનિક રજૂઆત છે. શંકરાચાર્યે તેના પર શારીરક ભાષ્ય લખ્યું અને અદ્વૈત વેદાંતને પ્રબળ યુક્તિઓ તથા તર્કો સહિત પ્રતિષ્ઠિત કર્યું. એ વખતે સાંખ્ય, મીમાંસા, બૌદ્ધ અને નૈયાયિક – વગેરે તર્કનાં ક્ષેત્રોમાં અત્યંત પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. બૌદ્ધ અને નૈયાયકોમાં તાર્કિક આઘાત અને પ્રતિઘાત ચાલતા હતા. જૈન આચાર્યો અનેકાંત અને નયવાદનું અનુગમન કરી રહ્યા હતા તેથી તેમની તર્કશૈલી અન્ય દર્શનો કરતાં અલગ હતી. એક તરફ કર્મકાંડની જટિલતા, બીજી તરફ તર્કની રુક્ષતાને કારણે ભારતીય સમાજની સ્નિગ્ધતા ઓછી થઈ ચૂકી હતી. વેદાંતના બ્રહ્મમાં ન તો કર્મકાંડની જટિલતા હતી કે ન તો પ્રમાણ અને પ્રમેયની સિદ્ધિમાં અનુપ્રાણિત થનારી તાર્કિક રુક્ષતા હતી. તેથી ‘બ્રહ્મસત્યમ્’ નો સિદ્ધાંત ભારતીય જનમાનસમાં વસી ગયો. નાગાર્જુનથી પ્રભાવિત ગૌડપાદ બૌદ્ધ દાર્શનિક નાગાર્જુનથી અત્યંત પ્રભાવિત હતા. નાગાર્જુને શૂન્યને જ પરમતત્ત્વ માન્યું. તેમના મત મુજબ પરમતત્ત્વ ન સત્ છે, ન અસત્ છે, ન સત્ અને અસત્ બંને છે કે ન તો એ બંનેથી ભિન્ન છે. તેમણે ‘સંવૃત્તિ સત્ય’ અને ‘પારમાર્થિક સત્ય' એ બંને સત્યો દ્વારા જગતને સમજાવવાનું દર્શન આપ્યું. જગતના વિષયમાં અદ્વૈતનો દૃષ્ટિકોણ પણ આ જ છે. તે પ્રમાણે દ્રશ્ય પ્રપંચ, મિથ્યા અને અસત્ છે. આમ ગૌડપાદ અને શંકરાચાર્ય વસુબંધુના વિજ્ઞાનવાદ તથા નાગાર્જુનના શૂન્યવાદની પશ્ચાદ્ભૂમાં ઉપસ્થિત જણાય છે. અનેકાંતના સંદર્ભમાં દાર્શનિક વિદ્વાનોએ બૌદ્ધદર્શનના આલોકમાં વેદાંતદર્શનનો અભ્યાસ કર્યો તેથી ઉક્ત ખ્યાલ પ્રચલિતછે. જો જૈનદર્શનના બે નય - નિશ્ચય નય અને વ્યવહાર નય, દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક નયોના આલોકમાં વેદાંતનું અધ્યયન કરવામાં આવ્યું હોત તો એક નવું જ તથ્ય પ્રાપ્ત થયું હોત. આચાર્ય શંકરે સત્યને ત્રણ કક્ષાઓમાં વિભાજિત કર્યું – પ્રાતિભાષિક, વ્યાવહારિક, પારમાર્થિક, તેમાં વ્યાવહારિક અને પારમાર્થિક એ બે કક્ષાઓની તુલના નિશ્ચય અને વ્યવહાર નયની સાથે થઈ શકે છે. સંવૃત્તિ સત્ય અને વ્યાવહારિક કક્ષાની તુલના કરી શકાય છે, પરંતુ નાગાર્જુનના મહાવીરનું અહિંસા-દર્શન ♦ 169 Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy