SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આધ શંકરાચાર્યઃ વ્યક્તિત્વનાં ત્રણ પાસાં એ વ્યક્તિ શક્તિ-સંયોજનમાં સફળ નીવડે છે કે જે અનેકતામાં એકતાની પ્રતિષ્ઠા કરે છે. એકતાશૂન્ય અનેકતા અને અનેકતાશૂન્ય એકતા બંને વ્યર્થ છે. દર્શનના બે પ્રવાહો જાણીતા છે. કેટલાક દાર્શનિકો અનેકતા અને ભેદને મુખ્ય માને છે, જ્યારે કેટલાક દાર્શનિકો એકતા અને અભેદને પ્રાધાન્ય આપે છે. શંકરાચાર્યે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા તરફ ભારતીય સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે ભારતના ચાર ખૂણાઓમાં ચાર મઠો (ઉત્તરમાં જ્યોતિર્મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, દક્ષિણમાં શૃંગેરીમઠ, પૂર્વમાં ગોવર્ધન મઠ)ની સ્થાપના કરીને પ્રાંતીય અલગતાની સમસ્યાનું સમાધાન આપ્યું હતું. તેઓ કેરલમાં જન્મ્યા હતા, તેમની માતૃભાષા મલયાલમ હતી. તેમણે સાહિત્ય સંસ્કૃતમાં લખ્યું. ભાષાકીય એકતાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું હતું. ભક્તિની વ્યાખ્યા આચાર્ય શંકરનું વ્યક્તિત્વ ત્રણ પાસાંઓમાં વિકસિત થયું હતું. તેઓ મહાવીરનું અહિંસા-દર્શન - 167 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy