________________
આ જગતમાં કાલ્પનિક સમસ્યાઓ પણ ઓછી નથી. ઘણાં બધાં વૈરવિરોધ, શત્રુતા, પરસ્પરની ઝંઝટ, પારિવારિક-સામાજિક અને રાષ્ટ્રીય કલહ, માનસિક અને કાલ્પનિક સમસ્યાઓને કારણે થાય છે. ધ્યાન દ્વારા જ તેમની સામે લડી શકાય છે. એ સમસ્યાઓના સમાધાનમાં સૈનિકો ઉપયોગી નહિ બને, પોલીસ ઉપયોગી નહિ બને અને કાનૂન પણ ઉપયોગી નહિ બને. તેમાં માત્ર ધ્યાન જ સફળ નીવડશે. આપણે બંનેનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવું જોઈએ. જ્યાં ધ્યાનનું મહત્ત્વ હોય ત્યાં તેનું અંકન કરીએ, જ્યાં શ્રમનું મહત્ત્વ હોય ત્યાં તેનું અંકન કરીએ. આ બંને સચ્ચાઈઓનું સમાન મૂલ્યાંકન જ જીવનને સમસ્યાઓથી સર્વથા મુક્ત કરી શકે છે.
મહાવીરનું અહિંસા-દર્શન : 166.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org