________________
સમગ્ર આકાશમાં પ્રશ્નાર્થ ચિહ્નો લાગી ગયાંછે. માનવીનું જીવન સમસ્યા-સંકુલ છે. તે અગણિત સમસ્યાઓથી ભરાયેલું છે. એટલી બધી સમસ્યાઓ છે કે એક જીવન શું, અનેક જીવન વીતી જાય તો પણ એનું સમાધાન ન થાય અને જે દિવસે સમસ્યાઓ નહિ ૨હે, તે દિવસે એ શું કરશે ? પોતાનો સમય કેવી રીતે વિતાવશે ? એક જાળ જેવું પથરાયુંછે. સમસ્યાઓ પણ ચાલેછે, સમાધાન પણ ચાલેછે. જીવનનો આ ક્રમછે - સમસ્યાઓ આવતી રહે, ઉકેલાતી રહે.
લોર્ડ માઉન્ટ બેટને નૌસેનાનું પ્રશિક્ષણ લીધું. પ્રશિક્ષણ સંપૂર્તિ વખતે પરીક્ષકે તેને પૂછ્યું, યુવક ! તારે જહાજ ચલાવવાનું છે. એ વખતે જો તોફાન આવે તો તું શું કરીશ ? માઉન્ટ બેટને કહ્યું કે હું લંગર નાખી દઈશ. પરીક્ષકે પૂછ્યું, ફરીથી તોફાન આવે તો શું કરીશ? માઉન્ટ બેટને કહ્યું, ફરીથી લંગર નાખીશ ! પરીક્ષકે ત્રીજી વખત એ જ પ્રશ્ન પૂછ્યો, અને માઉન્ટ બેટને ત્રીજી વખત પણ એ જ જવાબ આપ્યો. પરીક્ષકનો હવેનો પ્રશ્ન આ પ્રમાણે હતો, એટલાં બધાં લંગર તું ક્યાંથી લાવીશ ? માઉન્ટ બેટને પૂર્ણ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, જ્યાંથી તોફાન આવશે ત્યાંથી જ લંગર પણ આવશે.
મહાવીરનું અહિંસા-દર્શન
Jain Educationa International
158
સમસ્યાના બે એંગલ
For Personal and Private Use Only
www.jainelibrary.org