________________
એ પત્ર શિક્ષણની વાસ્તવિક પદ્ધતિનો એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમનો પત્ર આ પ્રમાણે હતો –
મારા દીકરાને શિક્ષણ મેળવવાનું છે. હું જાણું છું કે દરેક વ્યક્તિ યોગ્ય નાગરિક નથી હોતી. અને વળી સૌ કોઈ મોટા થઈને સત્યના પૂજારી પણ નથી બનતા, છતાં મહેરબાની કરીને મારા બાળકને તમે એવું શિક્ષણ આપજો કે તે દરેક દુષ્ટ વ્યક્તિ માટે એક આદર્શ નાયક અને દરેક સ્વાર્થી રાજનીતિજ્ઞ માટે એક નિષ્ઠાવાન સંઘર્ષવાદી નાયક બની રહે... મારા દીકરાને એ પણ શીખવાડજો કે
જ્યાં શત્રુઓ હોય છે ત્યાં મિત્રો પણ હોય છે. હું જાણું છું કે તેને આવું શિક્ષણ પ્રાપ્ત કરવામાં ખૂબ સમય લાગશે. મહેનત દ્વારા કમાયેલો એક ડોલર પાંચ પાઉન્ડ કરતાં અધિક હોય છે. તેને જીવનમાં હારવાનું અને જીતવાનું ગૌરવ સહિત સ્વીકારી લેવાનું શિક્ષણ પણ આપજો. તેને ઈર્ષાથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો. મહેરબાની કરીને તેને મૌન રહીને હસવાનું રહસ્ય શીખવાડજો... તેને પુસ્તકોના વિસ્મયભર્યા જગતથી પરિચિત કરજો અને પહાડો ઉપર ખિલેલાં ફૂલોનાં ચિરંતન રહસ્યો પણ સમજાવજો. તેને એ પણ શીખવાડજો કે નકલ કરવા કરતાં સન્માનપૂર્વક અસફળ થવું એ વધારે ગરિમાપૂર્ણ છે. તેને એ પણ કહેજો કે અસફળતાને કારણે જે આંસુ વહે તેમાં કોઈ શરમ નથી.... તેને એ પણ કહેજો કે ભલે આખી દુનિયા તેને માટે ગેરસમજ કરે છતાં તે પોતાના ઉપરનો વિશ્વાસ અકબંધ રાખે. તેણે ભદ્રલોકો સાથે ભદ્રતાપૂર્વક તથા દુષ્ટ લોકો સાથે સમ્રાઈપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. મારા પુત્રને તમે સતત એટલું કહેતા રહેજો કે તે ભીડનો એક સામાન્ય માણસ ન બને. તેને એમ કહેજો કે તે સૌ કોઈનું ભલે સાંભળે પરંતુ સત્યની ચાળણીથી ચાળીને સાંભળે અને જુએ અને પછી એવા સત્યમાં જે ભલાઈ હોય તેને જ ગ્રહણ કરે.
જો આપના માટે શક્ય હોય તો તેને દુઃખની ક્ષણે હસવાનું અને સુખદુઃખના જ્ઞાનથી મુક્ત રહેવાનું શીખવાડજો. કૃપા કરીને તેને વધુ પડતી મધુરતાથી બચવાનું કહેજો. તેને એ પણ કહેજો કે પોતાની બુદ્ધિ અને પોતાનો પરસેવો વેચતી વખતે સૌથી વધારે કિંમત કરનારાઓથી દૂર રહે, પરંતુ પોતાના હૃદય અને આત્માના મૂલ્યને પણ તે સમજે.
લોટું અગ્નિમાં બળવાથી મજબૂત થાય છે, તેથી તેને સ્નેહનો તાપ આપજો, માત્ર લાડ ન કરશો. તેને વૈર્યવાન થવાનું સાહસ આપજો અને શૌર્ય માટે પૈર્યનું
મહાવીરનું અહિંસા-દર્શન - 130
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org