________________
શિક્ષણનો એક દસ્તાવેજ
Jain Educationa International
બુદ્ધિ અને પ્રજ્ઞા આ બંને શબ્દો ભારતીય સાહિત્યમાં ચિરપરિચિત છે. ગીતાના સ્થિતપજ્ઞ અને ઉત્તરાધ્યયનના પ્રજ્ઞ તથા મહાપ્રજ્ઞના વિશેષ અર્થ છે. આજની શિક્ષણપદ્ધતિમાં સ્મૃતિનું સાચું મૂલ્યાંકન કરવામાં આવ્યુંછે. તેમાં બુદ્ધિનું મહત્ત્વ ઓછુંઆંકવામાં આવ્યુંછે અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન તો કદાચ થયું જ નથી. બુદ્ધિનો સંબંધ નિર્ણય અને નિશ્ચય સાથે જ છે અને પ્રજ્ઞાનો સંબંધ અંતર્દષ્ટિ (ઈંટ્યુશન) તથા ચરિત્ર સાથે છે.
લિંકનની આકાંક્ષા
અબ્રાહમ લિંકન વિશ્વની ચિંતનશીલ તેમજ અંતર્દિષ્ટ- સંપન્ન વ્યક્તિઓ પૈકીની એક વ્યક્તિછે. તેમની પારગામી દૃષ્ટિ સ્મૃતિના ઝરોખાની બહાર પહોંચી અને તેમણે પ્રજ્ઞાનો સાચો અર્થ સમજ્યો હતો. તેમણે પોતાના પુત્રને માત્ર સ્મૃતિનું સંગ્રહાલય બનાવવાનું ઉચિત માન્યું નહોતું. તેમણે એવું ઇછ્યું હતું કે મારો પુત્ર સ્મૃતિસંપન્ન હોવા ઉપરાંત બુદ્ધિશાળી અને પ્રજ્ઞાવાન પણ બને. તેમણે પોતાના પુત્રના શિક્ષણ અંગે અધ્યાપક વર્ગને જે એક પત્ર લખ્યો, તેમાં સ્થિતપ્રજ્ઞનું પૂર્ણદર્શન સમાયેલું છે.
મહાવીરનું અહિંસા-દર્શન
129
For Personal and Private Use Only
www.jainelibrary.org