SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સિમ્પથેટિક નાડીતંત્ર શારીરિક ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. અનુલોમ-વિલોમ શ્વાસપદ્ધતિ દ્વારા તેના ઉપર સંતુલન સ્થાપી શકાય છે. ભાવનાઓનું ઉદ્ગમ સ્થાન લિમ્બિક તંત્રનો એક ભાગ - હાઈપોથેલેમસ છે. સૂક્ષ્મ શરીરના ભાવનાં પ્રકંપનો સ્થૂળ શરીરના મસ્તિષ્કમાં આવે છે અને હાઈપોથેલેમસમાં તે પ્રગટ થાય છે. પછી મન સાથે જોડાઈને મનોભાવ બને છે. તેના આધારે આપણો વ્યવહાર સંચાલિત થાય છે. લયબદ્ધ દીર્ઘશ્વાસ દ્વારા લિમ્બિકતંત્ર ઉપર નિયંત્રણ કરી શકાય છે. શ્વાસ અને મસ્તિષ્કનાં ચક્રોનો જૈવિક ઘડી સાથે ગાઢ સંબંધ છે. વિલિયમ ફુલીશના મત મુજબ પુરુષની શક્તિ, સહિષ્ણુતા અને સાહસનું સમયચક્ર ત્રેવીસ દિવસનું હોય છે. બીજો મત એવો છે કે માણસમાં બુદ્ધિમતાનું સમયચક્ર ત્રીસ દિવસનું હોય છે. સ્ત્રીઓમાં ગ્રહણશીલતા તથા અંતર્દર્શનનું સમયચક્ર અઠ્યાવીસ દિવસનું હોય છે. આ સમયચક્ર પ્રત્યેક કોશિકામાં પ્રાપ્ત છે. માનવીની સહજ પ્રવૃત્તિઓ - ભૂખ, નિદ્રા, જાગરણ વગેરે સમયબોધક જીવનઘડી સાથે જોડાયેલી છે. પ્રાણધારાનો પ્રવાહ શરીરનાં અંગોમાં હંમેશાં એકસરખો નથી રહેતો, તે બદલાતો રહે છે. તેનું પરિવર્તન ચક્ર આ પ્રમાણે છે – સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ફેફસાં સવારે પાંચથી સાત વાગ્યા સુધી મોટું આંતરડું સવારે સાતથી નવ વાગ્યા સુધી પેટ સવારે નવથી અગિયાર વાગ્યા સુધી પ્લીહા અન્યાશય બપોરે અગિયારથી એક વાગ્યા સુધી હૃદય બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી નાનું આંતરડું બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી ઉત્સર્જનતંત્ર સાંજે પાંચથી સાત વાગ્યા સુધી કિડની સાંજે સાતથી નવ વાગ્યા સુધી હૃદયનું પાતળી ચામડીનું પડ રાત્રે નવથી અગિયાર વાગ્યા સુધી શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્જનતંત્ર રાત્રે અગિયારથી એક વાગ્યા સુધી મૂત્રાશય રાત્રે એકથી ત્રણ વાગ્યા સુધી યકૃત ન મહાવીરનું અહિંસા-દર્શન - 127 | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy