________________
રાષ્ટ્રીય એકતાતા |
સંદર્ભમાં ધર્મ
એકતાનો સ્વર ખૂબ સારો છે, પરંતુ એકતા ક્યારેય સ્વમના સહારે શક્ય બનતી નથી. એકતા માટે નક્કર ભૂમિકા હોવી જોઈએ, મજબૂત આધારશિલા હોવી જોઈએ, ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ. ક્યારેય કાચા પાયા ઉપર પાંચ માળનું મકાન ઊભું કરી શકાય નહિ.
જ્યાં સુધી જીવનમાં તપસ્યાન આવે, ત્યાગ ન આવે ત્યાં સુધી એકતાને વિખંડિત કરનારાં તત્ત્વો યથાવત રહેશે. ત્યાગ દ્વારા અને પરમાર્થ દ્વારા જ એકતાની વાત શક્ય બની શકે છે. આપણે એકતાની વાત ખૂબ વિચારીએ છીએ, પરંતુ તપસ્યાની વાત બહુ ઓછી વિચારીએ છીએ.
સુવિધા અને સ્વાર્થની વાત આપણે ખૂબ વિચારીએ છીએ, પરંતુ પરમાર્થની વાત બહુ ઓછી વિચારીએ છીએ. અસંતુલનનું મુખ્ય કારણ
આજે સમગ્ર વાતાવરણ જ અલગ પ્રકારનું થઈ રહ્યું છે. આપણો દષ્ટિકોણ નિતાંત પદાર્થવાદી અને સુવિધાવાદી બની રહ્યો છે. સમાજમાં જીવનારાં સામાજિક પ્રાણીઓ પદાર્થોથી અલગ થઈને જીવી શકશે, પરંતુ સુવિધાઓનો ભોગ નહિ કરે એવી કલ્પના જ કરી શકાતી નથી. પણ જ્યાં જીવન એકાંગી
Rs
- @
"
મહાવીરનું અહિંસા-દર્શન 107
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org