SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હતો કે જેની પીઠ ઉપર કોઈ મુક્કો મારે તો તે પાછળ જોતો નહોતો. પરંતુ તે તેની આગળ ચાલનારા માણસને મુક્કો મારી દેતો હતો. શું એવું જ જોવા નથી મળતું? જો સાંપ્રદાયિકતા સમસ્યા હોત તો તેને વૈચારિક સ્તરે ઉકેલી શકાઈ હોત. પરંતુ જ્યારે વૈચારિક ભિન્નતા માથાનો દુઃખાવો હોય જ નહિ તો વિચારના સ્તરે તેની પીડાને શી રીતે સમાપ્ત કરી શકાય? સાંપ્રદાયિક એ લોકો છે કે જેઓ બીજાઓને તોડવાની નીતિ ઉપર ચાલે છે. બીજાઓને તોડવાની નીતિ એટલે જ સાંપ્રદાયિકતા. તેનું સમાધાન આપણે શોધવા ઇચ્છીએ તો જાતિ-પરિવર્તનવાળી વાત અંગે ગંભીર ચિંતન થવું આવશ્યક છે. આવશ્યક તો એ પણ છે કે ધર્મ, રાજનીતિ અને જાતિનું એકીકરણ ન થાય પરંતુ તે વૈચારિક સ્વતંત્રતાનો પ્રશ્ન છે તેથી એમ કહેવું મારા માટે મુશ્કેલ છે કે એવું કોઈન માને. આવું માની લેવા છતાં જો આપણે પ્રલોભન અને બળ-પ્રયોગના પાયાને નબળો પાડવામાં સફળ થઈએ તો આપણી સમસ્યાનો એક થાંભલો તો ચોક્કસ ડગમગી જશે. સમાધાન-સૂત્ર અવાર-નવાર જાતીય અને સાંપ્રદાયિક તોફાનો થતાં રહે છે અને કેટલાક કટ્ટરપંથી લોકો એવાં તોફાનોને ઉશ્કેરતા રહે છે. એ વાત આજના શિષ્ટસમાજ માટે ખરેખર શરમની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સર્વથા વિરોધી હિતાવાળાં રાષ્ટ્રોનું એક મંચ પર આવવું અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વિશે વિચારવું, તેનું સમાધાન શોધવું - જો શક્ય બન્યું હોય તો શું તે શક્ય ન બની શકે કે સાંપ્રદાયિક સમસ્યાઓના સમાધાન માટે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવો કોઈ શક્તિશાળી મંચ બને અને ત્યાં સમગ્ર વિશ્વના લોકો એકસાથે બેસીને સાંપ્રદાયિકતાને કારણે પેદા થનારી સમસ્યાઓ અંગે વિચાર કરે અને તેમનાં સમાધાન શોધે? ગણાધિપતિ શ્રી તુલસીએ આ પ્રકારના મંચની વાત ધર્મસંપ્રદાયો સમક્ષ પ્રસ્તુત કરી હતી. જો એવું બની શકે તો શતાબ્દીઓથી વવાયેલાં ધૃણાનાં બીજ, વિષમૂલક ભાવનાઓ વગેરેને સમાપ્ત કરીને માનવસમાજને વૈચારિક સ્તરે સ્વતંત્ર તેમજ ભિન્ન માનવા છતાં ભાવનાના સ્તરે તેની એકાત્મકતાને જોઈ શકાય. તે મહાવીરનું અહિંસા-દર્શન - 106 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy