SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયા) મનનો વિલય શિષ્ટ છે સાધનાના ક્ષેત્રમાં મનના વિલયની બહુ વાત થાય છે. ચેતનાની, કેવળ ચેતનાની અનુભૂતિ કરવા માટે મનના વિલય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. ઘણી જગાએ તો મનના વિલયને સાધ્ય માની લેવામાં આવ્યું છે કારણ કે મનનો વિલય થતાં ચેતનાની અનુભૂતિ થવા લાગે છે. પણ મનનો વિલય શકય છે ખરો ? અને શકય હોય તો તે કેવી રીતે - તે પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે. ' આગળ ઉપર આપણે મનના સ્વરૂપ ઉપર વિચાર કર્યો અને જો તેને આધાર સ્વરૂપ ગણીએ તો મનના વિલયની વાત અટપટી લાગે છે. આમ જોઈએ તો મનનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી ત્યાં તેના વિલયની વાત કેવી રીતે ટકી શકે? જૈનો અને બૌદ્ધોની સાધના અંગે જે ધારણાઓ છે તેની સાથે તો આ વાતનો દેખીતી રીતે મેળ રહેતો નથી કારણ કે તેમના પ્રમાણે તો મનની કોઈ પ્રતિષ્ઠા નથી. આમ જોઈએ તો આ વાત આકાશકુસુમવત્ લાગે છે. છતાંય આ વાત ખૂબ મહત્ત્વની છે. ઘણાએ તો મનને જ બંધન અને મોક્ષનું કારણ માન્યું છે ત્યાં મનના અસ્તિત્વનો નિષેધ થાય તે વાત કેમ નભી શકે ? આપણા જીવનમાં એવી ઘણી સમસ્યાઓ છે જે ભાષાને કારણે મનનો વિલય. ૭૫ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy