SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ * જઈ અવચન સમ કરવા મા શાંત હોવું જોઈ ને સૂક્ષ્મ અરબાઈને કરવો જેને સફળ ધ છે. આસન તે અને દર છ પાક હોય પણ તે સહેજમાં તૂટી જાય છે, કારણ કે સંકલ્પ સ્થૂળ ભૂમિકા ઉપર થયેલો છે અને તે અવચેતન મને સ્વીકાર્યો નથી. અવચેતન મન જેવું ધક્કો મારે કે સંકલ્પ તૂટી જવાનો કારણ કે સ્થળ મનનું ગજું નથી કે તે અવચેતન મનમાં પડેલા સંસ્કારો સામે ટકી શકે. જો સંકલ્પને સફળ બનાવવો જ હોય તો સંકલ્પના ધ્વનિને સૂક્ષ્મ કરવો પડે જેથી તે છેક અંદર જઈ અવચેતન મનમાં ધરબાઈને પડેલા સંસ્કારોને બદલી શકે. સંકલ્પના ધ્વનિ તરંગોને સૂક્ષ્મ કરવા માટે થોડોક બાહ્યાચાર પણ આવશ્યક રહે છે. આસન સ્થિર હોવું જોઈએ, મન શાંત હોવું જોઈએ અને પ્રાણની ધારા નિયંત્રણમાં હોવી જોઈએ. દીર્ધ શ્વાસ એ પણ પ્રાણાયામનો જ પ્રયોગ છે. ત્યારપછી જે સંકલ્પ હોય તે દોહરાવતાં દોહરાવતાં શબ્દોચ્ચારને ધીમે ધીમે અંદર લઈ જવો જોઈએ. શરૂઆતમાં શબ્દનો જે ધ્વનિ હોય તે આગળ જતાં ઓછો થતો જાય. છેવટે ધ્વનિ સરી પડે અને તેના તરંગો રહી જાય ત્યારે તે સંકલ્પ પ્રબળ બની જાય છે અને અવચેતન મનમાં પડેલા સંસ્કારોને બદલી શકે છે. એક વખત ધ્વનિતરંગોનું વિજ્ઞાન સમજણમાં આવી જાય તે પછી પૂળ મન અને સૂક્ષ્મ મન વચ્ચે કંઈ સંઘર્ષ નહિ રહે. સ્થૂળ મન પોતાની વાત સૂક્ષ્મ મન સુધી પહોંચાડશે. સૂક્ષ્મ મને એ વાત સ્વીકારી લીધી પછી બંને મન એક જ રીતે કામ કરશે. પછી મન-વાણી અને વર્તન વચ્ચે એક પ્રકારનો સંતુલિત સંબંધ જળવાઈ રહેશે. આ સંતુલન સ્થાપિત કરવામાં સૂક્ષ્મ ધ્વનિનું ઘણું યોગદાન છે. એક વખત આ અભ્યાસ થઈ જાય પછી ધૂળ મન અને સૂક્ષ્મ મન વચ્ચેનો વિરોધ-સંઘર્ષ ધીમે ધીમે ઓછો થઈ જશે અને છેવટે અદશ્ય પણ થઈ જશે. આ બધો છે શબ્દની શક્તિનો વ્યાપ. પણ સાધનાનાં ખરાં ચડાણ તો જ્યારે મનોજય કરવાની વાત આવે છે ત્યારથી શરૂ થાય છે. પ્રાણશક્તિનો પૂર્ણ આવિષ્કાર કરવા માટે મનની પાર જવું પડે છે. મનને અમન કરવું પડે અને ત્યાર પછી જ અસ્તિત્વની અનુભૂતિનો માર્ગ મોકળો થાય છે. મનનું અમન કેવી રીતે થઈ શકે એ જાણવા માટે સૌ પ્રથમ તો આપણે મનને જ સમજવું પડશે. મનનું સર્જન આપણે કરીએ – ૫૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy