SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ માં સંસ્કાર છે. તેની આ મનને પ્રભાવિત છે અને તે આપણા પૂર્વ સંસ્કારોને આગળ કરે છે. આ વાસનાશરીરના કણ કણમાં સંસ્કાર પડેલા હોય છે અને એટલા પ્રમાણમાં આ સંસ્કાર અંકિત થયેલા હોય છે કે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. વાસના સંસ્કારોને પ્રવાહિત કરે છે અને તે મનને પ્રભાવિત કરીને ઇન્દ્રિયોને પોતાના કામમાં જોતરે છે. આમ, ઇન્દ્રિયો તો બેવડી દંડાય છે. એક તો બહારના વિષયોને અંદર લઈ જવા માટે અને બીજી રીતે મનને તેના સાનુકૂળ વિષયો મેળવી આપવામાં કે પ્રતિકૂળ વિષયો દૂર કરી આપવામાં સહાય કરવા માટે ખરેખર તો ઇન્દ્રિયો તો ચિઠ્ઠીના ચાકર જેવી છે. અંદરની વાત બહાર લઈ જાય અને બહારની વાત અંદર લઈ જાય. તે તો ફક્ત ચિઠ્ઠી પહોંચાડે પણ તેને તો ખબરેય ન હોય કે ચિઠ્ઠીમાં શું લખ્યું છે. તંત્રશાસ્ત્રમાં આ બાબત ઊંડી વિચારણા કરવામાં આવી છે. તંત્રશાસ્ત્ર કહે છે કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં મન એ જ પ્રમુખ છે. મન જ ઇન્દ્રિયોને સંચાલિત કરે છે અને મન જ ઇન્દ્રિયોને રોકે છે-નિરુદ્ધ કરે છે. જો મન રોકાઈ જાય તો ઇન્દ્રિયો રોકાઈ જાય. મન ચંચળ છે માટે ઇન્દ્રિયો ચંચળ છે અને મનને ચંચળ બનાવનાર છે સંસ્કારો. આવતા સંસ્કારો અને પૂર્વના સંસ્કારો. મૂળ વાત છે સંસ્કારોને પકડવાની, તેમને સમજવાની, તેમનું શોધન કરવાની અને તેને શુદ્ધ કરવાની. ઇન્દ્રિયોને પકડીને બેસી રહેવાથી સાધનામાં કોઈ અર્થ નહિ સરે. આ માટે તેરાપંથના આચાર્ય ભિક્ષુએ “ઇન્દ્રિયવાદી કી ચૌપાઈ' નામનો એક ગ્રંથ લખ્યો છે એમાં તેમણે ઇન્દ્રિયો ઉપર દોષારોપણ કરનારાઓ ઉપર જોરદાર પ્રહારો કરી મૂળ તત્ત્વનું વિશ્લેષણ કર્યું છે. આમ, આપણા ચિંતનનો એ નિષ્કર્ષ નીકળે છે કે ઈન્દ્રિયો તો અસહાય છે. તેમનો કંઈ વાંક નથી. તેમને નિયંત્રણમાં લાવવાથી કે તેમને દંડ દેવાથી સાધનામાર્ગમાં કંઈ નહિ સરે. ઈન્દ્રિયો જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેને રોકવા માટે કે બદલવા માટે આપણે મન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તેને વશમાં રાખવું પડશે. વળી મનને પ્રભાવિત કરનાર સંસ્કારો અને વાસનાઓ જ્યાંથી આવે છે ત્યાં સુધી એટલે કે કર્મશરીર – મહાવીરની સાધનાનો મર્મ સરકારી મને સાધનામાં કપાઇ ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy