SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિય સંવર બ્રિ 88 ': પ્રકાર છે સાધનાનું લક્ષ્ય જીવમાંથી શિવ બનવાનું છે. આત્મામાંથી પરમાત્મા બનવાનું છે. આ માટે આપણે આપણી શક્તિઓથી પરિચિત થઈ તેનો ઉઘાડ કરવાનો છે અને તેનો આવિષ્કાર કરવાનો છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે મનનો વિલય કરવો ખૂબ જરૂરી છે અને તે અંગે આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરી. આપણી એ ચિંતનધોરાને જો આગળ લંબાવીએ તો તુરત જ આપણે ઇન્દ્રિયો ઉપર આવવું પડશે અને તેના ઉપર વિચાર કરવો પડશે. મનને ચંચળ કોણ બનાવે છે ? આપણો સામાન્ય અનુભવ છે કે ઈન્દ્રિયો તેના વિષયોને ગ્રહણ કરીને અંદર મોકલે છે અને તેનાથી મન ચંચળ બને છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેના વિષયો છે. ઇન્દ્રિયો દ્વારા આપણને આ વિષયોની પ્રાપ્તિ થાય છે અને તેની મન ઉપર સીધી અસર પડે છે. જરા વિચાર કરીશું તો લાગશે કે આપણો સમગ્ર સંસાર ઇન્દ્રિયોનો તો સંસાર છે. તેમના દ્વારા આપણે સંસાર માંડીએ છીએ, ટકાવીએ છીએ, પોષીએ છીએ અને એ જ ઇન્દ્રિયોને ક્ષતિ પહોંચતાં આપણો સંસાર સંકોચાવા લાગે છે. આપણા સમગ્ર જીવનની પ્રવૃત્તિ આ ઈન્દ્રિયોને ગમતા ઇન્દ્રિય સંવર, – ૫ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy