SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પાં 'પ્રાણશક્તિ (હરિ હિ 88 છે સાધનાના માર્ગમાં પ્રાણશક્તિ બહુ મહત્ત્વની છે. તેનો વિકાસ સાધનાની પરિપૂર્તિ કરે છે. એ પ્રાણશક્તિને સમજવાનું અને તેનું યોગ્ય વહન કરવાનું સાધનામાર્ગમાં ખૂબ મહત્વ છે. પ્રાણની શક્તિ પ્રચંડ છે જેનો પૂર્ણ આવિર્ભાવ આપણે કયારેય કરતા નથી કારણ કે આપણે તેને વેડફી નાખીએ છીએ. આપણા શરીરમાં પ્રાણની જે ધારાઓ વહે છે તેનાથી આપણે જીવંત લાગીએ છીએ; પણ આપણી પ્રાણશક્તિ અનેક ધારાઓમાં વહી જાય છે તેથી તેની પૂર્ણ શક્તિ આપણે પ્રગટાવી શક્તા નથી. અનેક ધારાઓમાં વહેવાને લીધે આપણી પ્રાણશક્તિ ક્ષીણ અને નિર્બળ થઈ જાય છે. સાધનામાં આ પ્રાણશક્તિને એકત્રિત કરી, સઘન કરી તેનો આવિષ્કાર કરવાનો હોય છે. તેથી તો યોગીઓ પ્રાણને સાધે છે. જેણે પ્રાણ સાધ્યો તેણે ઘણું સાધી લીધું. પ્રાણ સાધવા માટે આપણે સૌ પ્રથમ પ્રાણને સમજવો ખૂબ જરૂરી છે. પ્રાણ એ જીવનની શક્તિ છે. આપણું શરીર પ્રાણની શક્તિથી સતત ધબકી રહ્યું છે. તેથી તો પ્રાણ ધારણ કરનારને પ્રાણી કહેવામાં આવે છે. જેનામાં પ્રાણ વહન કરે છે તે પ્રાણી કહેવાય છે. આ પ્રાણશક્તિનું ઊગમસ્થાન ક્યાં છે તે હજુ વિજ્ઞાન શોધી શક્યું નથી. પણ – ૩૦ —— – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy