SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં આયાત થતી રહે છે. અશુભ પરમાણુઓને તો રોકવા રહ્યા પણ અસ્તિત્વ સુધી પહોંચવા માટે - શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શુભ પરમાણુઓને પણ રોકવા રહ્યા. શુભ પરમાણુઓ માટે પણ દરવાજો ખુલ્લો ન રાખી શકાય. એક વાર દરવાજો ખૂલ્યો પછી તે દ્વારા શુભ પરમાણુઓની સાથે અશુભ પરમાણુઓ પણ આવે તેથી કર્મની આયાત રોકવા માટે દરવાજો બંધ કરવો રહ્યો. આ દરવાજો બંધ કરવાની ક્રિયા તે સંવર અને સંવરમાં પણ કાયાનો સંવર-શરીરનો સંવર ખૂબ મહત્ત્વનો. કાયાનો સંવર એટલે કાયાને સ્થિર અને નિષ્ક્રિય કરી દેવાની. પ્રવૃત્તિનો સદંતર નિરોધ કરવાનો. મહાવીરે સ્થૂળ શરીરનો ઉપયોગ સાધના કાળમાં અલ્પતમ કરીને શરીરનો સંવર કર્યો છે. મહાવીર સોળ દિવસ સુઘી એકવાર તેમના સાધનાકાળમાં દિન-રાત કાયસંવર કરીને ઊભા રહ્યા છે. આવો પ્રખર કાય સંવર કરનારને ખાવા-પીવાનો પણ સમય કયાંથી મળે ? તે પોતાના શરીરને એટલું પણ ચંચળ થવા ન દે. તે સૂવા કે બેસવા જેટલી ચંચળતાને પણ અવકાશ આપતા નથી. બસ, અડોલ મેરુ જેવા સ્થિર ઊભા રહીને કાયસંવર કરે છે. શરીર ઉપર શું ગુજરે છે તેના ઉપર તેમણે સહેજ પણ ધ્યાન આપ્યું નથી અને પોતાની સાધનાને ચલિત થવા દીધી નથી. મૂળ વાત કાયાને શોષવાની કે તપાવવાની નથી; મૂળ વાત છે સંવરની અને તે સાધના કરતાં તેમણે કાયા ઉપર સહેજ પણ લક્ષ આપ્યું નથી. મહાવીરનું તપ કાયાને તપાવા માટે હતું નહિ; તેને પોષવા માટે પણ હતું નહિ. મૂળ વાત હતી કાયસંવરની. ન છૂટકે તેમણે શરીરને ખાવા-પીવા માટે ઓછામાં ઓછા સમય માટે સક્રિય થવા દીધું છે. તેથી તેમના ઉપવાસોની સંખ્યા આપોઆપ વધારે થાય છે. આ બાબત મહર્ષિ ઉદ્દાલકની એક કથા ખૂબ સૂચક છે. મહર્ષિ નિર્વિકલ્પ સમાધિ માટે સાધના કરતા હતા પણ તે તેમને પ્રાપ્ત થતી હતી નહિ. તેમણે મૂળ વાતને ખોટી રીતે પકડી હતી. નિર્વિકલ્પ સમાધિમાં પહોંચાય છે અપ્રયત્ન દ્વારા અને મહર્ષિ તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. નિર્વિકલ્પ સમાધિ આયાસનો વિષય નથી; તે ફલિત થાય છે અનાયાસથી. સાધનાની ગતિ સાધ્યથી વિપરીત હતી. કરવો જોઈએ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy