SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુના ભયની અંતર્ગત વૃદ્ધાવસ્થાનો ભય, રોગનો ભય, આજીવિકાનો ભય ઈત્યાદિ રહેલા છે. લોકેષણા પણ એવી જ પ્રબળ છે. પ્રતિષ્ઠા જવાના ભયે કેટલાક જીવનની દોરી પણ ટુંકાવી નાખે છે. અભય પ્રાપ્ત કર્યા વિના સમતાનો વિકાસ સધાતો નથી. સમતા સધાતાં જીવનમાં ચારિત્રનું પહેલું કિરણ ફૂટે છે. ચારિત્રની આભા દેખાય છે. સમતાની પછી આવે છે સંયમ-નિગ્રહની શક્તિનો પ્રાદુર્ભાવ. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ બધી વાતો સમતા પછી પ્રગટ થાય છે. સંયમનું આગલું પગલું છે સમ્યફચર્યા; સમ્ય-વ્યવહાર. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ કહો કે સમ્યક ચર્યા કહો બન્ને એક જ વાત છે. આમ સંયમ અને સમ્યફ ચર્યા, ચારિત્રનું ચોથું અને પાંચમું અંગ છે. ધ્યાન ચારિત્રનું છઠ્ઠું અંગ છે. ચારિત્રનું તે અનિવાર્ય અંગ છે. એમાં ત્રણ ગુપ્તિઓ - મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ આવી જાય છે. સાતમું અંગ છે - અપ્રમાદ; એટલે કે જાગરૂકતા. આમ, ચારિત્રનાં સાત અંગ છે - અનાશંસા, અભય, સમતા, સંયમ, સમ્યક ચર્યા, ધ્યાન અને અપ્રમાદ. આ સાત અંગોને સાધીને જે ઉપાસના કરે છે તે સમ્યક ઉપાસના છે. તે જ છે ચારિત્રની ઉપાસના. ભગવાન મહાવીરે એક પ્રસંગે આત્મવિશ્લેષણ કરતાં કહ્યું છે - જહેથ મને સધિ એસિએ, એવા સત્તથ દુજાસિએ - મેં જે પરાક્રમથી આ સંધિને ખપાવી છે તે અન્યત્ર દુર્લભ છે. એટલે કે મેં જે પુરુષાર્થથી ચારિત્ર પાળ્યું છે તે અન્યત્ર દુર્લભ છે. સાંભળવામાં કદાચ કોઈને ગર્વોક્તિ લાગે પણ વાસ્તવિકતામાં એ છે પ્રચંડ સંઘર્ષ કરી પાર ઊતરનારના આત્માની સચ્ચાઈનો રણકાર. મહાવીરના સાધનામાર્ગમાં પુરુષાર્થ અને પરાક્રમ ખૂબ મહત્ત્વનાં છે. તે કોઈના અનુગ્રહમાં માનતા નથી. તેમણે કોઈનો અનુગ્રહ સ્વીકાર્યો નથી. બધા માર્ગોમાં મહાવીરનો માર્ગ સૌથી વધારે કઠોર છે પણ તે આત્મનિર્ભરતાનો માર્ગ છે. એમાં કોઈ સમાધાનને સ્થાન નથી; કંઈ વચલો માર્ગ કાઢવાની વાત નથી. તેથી તો તેને “દુરનુચરે મગે - કહેવામાં આવે છે. એ માર્ગ ઉપર ચાલવું ખૂબ કઠણ છે પણ તે સિવાય કોઈ મહાવીરે પ્રાપ્ત કરેલી ચારિત્રસમાધિના બિન્દુને પહોંચી ન શકે. ચારિત્રસમાધિ ૧૭૫– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy