SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વાતો વચ્ચે ઝાઝો ભેદ રહેતો નથી. એક વાતમાં શબ્દાર્થ છે તો બીજી વાતમાં સૂચિતાર્થ છે. મૂળ વાત અંદર પડેલા સંસ્કારોને – વાસનાઓને ખાલી કરવાની છે જે સરળ નથી. બહારના સંઘર્ષ કરતાં આ સંઘર્ષ ખૂબ પ્રબળ હોય છે અને એમાં હાર-જીતની હારમાળા સર્જાય છે. આ બધા સમયે સાધકે ખૂબ જાગરૂક રહીને પરમ વૈર્યથી પોતાનો માર્ગ ચાતરવો પડે છે. નિગ્રહની શક્તિ - સંયમની આરાધના આ સંઘર્ષમાં સાધકની સુરક્ષા હરોળ છે. તે બહારના આક્રમણથી સાધકને બચાવે છે. સંયમ અને સંસ્કારોને ખાલી કરવાનું સાથે સાથે જ ચાલે છે. એને સંવર અને નિર્જરા કહી શકાય. તેને આધ્યાત્મિક પ્રાણાયામ પણ કહી શકાય જેમાં કુંભક અને રેચનની પ્રક્રિયા રહેલી છે. આ બન્ને પાયા ઉપર ચારિત્રની સમાધિનું નિર્માણ થાય છે. ચારિત્રના સાત અંગ છે જેનાથી માહિતગાર રહીને, જેને સાધીને સાધક ચારિત્રસમાધિ મેળવી શકે છે. ચારિત્રસમાધિ મેળવવા સૌથી પહેલાં જીતવાની છે આશંસાને. આશંસા એટલે અપેક્ષા - ઈચ્છા. આમ તો જીવનમાં ઘણી બધી આશંસાઓ હોય છે પણ એમાં સૌથી મોટી આશંસા છે જીવવાની. તેને આધારે સૌ ઇચ્છાઓ ઊભી થાય છે. જીવનની આશંસા એટલે મોતનો ભય. આશંસા અને ભય એ બે અલગ નથી. મહાવરે યથાર્થ કહ્યું કે – સમાષ્ય માહુ તક્સ જ જે અખાણ ભએણ દેસએ - જેના મનમાં ભય નથી તેને સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. અનાશંસા વિના અભય પ્રાપ્ત થઈ શકતો નથી. અને અભય વિના સામાયિક સધાતું નથી - સમતા આવતી નથી. ચારિત્રનું પહેલું અંગ છે અનાશંસા, બીજું છે અભય અને ત્રીજું છે સમતા. આ ત્રણેય અંગ પરસ્પર સંલગ્ન છે તેમજ ખૂબ મહત્ત્વનાં છે. કોઈ પણ વ્યક્તિ જો આશંસા અને ભયથી મુક્ત નહિ હોય તો તે હંમેશાં વિષમસ્થિતિમાં જ રહેવાની અને તેના માટે ચારિત્ર સંભવ નથી. ચારિત્રનું આદિ બિંદુ સમતા છે. એની પૃષ્ઠભૂમિમાં અનાશંસા છે અને તેની સાથે અભય હોવાનું ખૂબ જરૂરી છે. ભય અનેક પ્રકારના હોય છે પણ તે બધાનો સમાવેશ બેમાં કરી શકાય. એક છે પૂજા-પ્રતિષ્ઠા ખોવાનો ભય અને બીજો છે મૃત્યુનો ભય. – ૧૭૪ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy