SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયા કોઈ બાધ જ કંઈ ના માર્ગ છે એ વાત છે. ત્યારે તે રોકવાની પ્રક્રિયા છે. સંવરમાં નિગ્રહ છે. મહાવીરની સાધના ખૂબ વૈજ્ઞાનિક રહી છે. માનસિક રેવન- કેથાર્સીસનું આજે પૂબ મહત્વ અંકાય છે. હજારો વર્ષ પહેલાં મહાવીરનું ધ્યાન તેના ઉપર હતું. તેમણે કોચ સંયમની વાત કરી નથી. તેમનો સંયમ બહાર તો છે જ પણ અંદર વધારે છે. મહાવીરના માર્ગમાં બહાર અને અંદર બન્નેનું મહત્ત્વ છે. એજ્યની અવગણના નથી કરવામાં આવી કારણ કે સાધના અને વિના અપૂર્ણ રહી જાય છે અને એટલી અસરકારક નથી નીવડતી. આ બન્ને પ્રક્રિયાની પાછળ આત્મ કર્તૃત્વનો મહત્વનો સિદ્ધાંત રહેલો છે. મહાવીર કોઈનું આપેલું નથી લેતા, તે પોતે જ ઉપાર્જન કરે છે. તેમણે પ્રસ્થાપિત કરેલા માર્ગમાં કોઈ બહારથી આવીને મદદ કરે અને આપણું કાર્ય થઈ જાય તેવી વાત જ નથી. જે કંઈ કરવાનું છે તે આપણે જ કરવાનું છે અને આપણે જ પામવાનું છે. ચારિત્રનો માર્ગ બે બાબતો ઉપર નિર્ભર છે. પહેલી વાત છે આત્માની સ્વતંત્રતાની અને બીજી વાત છે આત્માના પુરુષાર્થની. આત્માનું કર્તૃત્વ ત્યારે જ સાબિત થઈ શકે કે જ્યારે તે નિમિત્તોની ઉપર ઊઠી શકે. આત્મા નિમિત્તોથી પ્રભાવિત થાય છે પણ તેની ઉપર ઊઠવાની તાકાત પણ આત્મામાં જ છે. નિમિત્તોને વશ થઈ જઈએ અને તેનો પરાભવ ન કરી શકીએ તો પછી સાધનાનો અર્થ જ ક્યાં રહ્યો ? સંયમ કે નિગ્રહ એ પુરુષાર્થનો સિદ્ધાંત છે. આત્માના સ્વતંત્ર કર્તૃત્વને આધારે એનો વિકાસ થાય છે. આમ, મહાવીરના ચારિત્ર માર્ગમાં સંયમ અને રેચન બન્ને પ્રક્રિયા રહેલી છે. તેને આધ્યાત્મિક પ્રાણાયામ કહી શકાય જેમાં કુંભક અને રેચન કરવાનું છે. ચારિત્રમાં પૂરકની જરૂર નથી, કારણ કે આપણે કદીય ખાલી રહેતા જ નથી. મૂળ સમસ્યા તો એ છે કે આપણે ક્યારેય ખાલી થતા નથી અને ખાલી થયા વિના ચારિત્ર ન લાધે. આમ, બહારથી જોઈએ તો ચારિત્રનો માર્ગ અક્રિય લાગે કારણ કે બહારથી તેમાં ઓછી ગતિશીલતા લાગે છે. પણ આ માર્ગમાં અંતરની સક્રિયતાનું વધારે મહત્ત્વ છે. આપણા શરીરમાં જેટલાં કર્મસ્થાનો છે, જેટલી ગ્રંથિઓ છે તે બધી આપણા ચૈતન્યની શક્તિઓને છિન્નભિન્ન – ૧૭૦ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy