SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસ) ચારિત્રસમાધિ છે ? હરિ હરિ ધ ફિ |િ ભાવિ l ભગવાન મહાવીરના સાધનામાર્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયનું મહત્ત્વ છે. તેમણે ત્રણેયને આવશ્યક ગણ્યાં છે. જ્ઞાન હોય, દર્શન હોય અને ચારિત્ર ન હોય તો સાધનાપથ ઉપર ઠેરના ઠેર રહી જવાય. ચારિત્ર એટલે આચરણ, જ્ઞાન એટલે જાણકારી, દર્શન એટલે ખાતરી - શ્રદ્ધા. આ ત્રણ સાથે હોય અને ત્રણેય સમ્યફ હોય ત્યારે જ મોક્ષમાર્ગ ઉપર આગળ વધાય. બીજી બાબતોની જેમ મહાવીરનો ચારિત્રમાર્ગ પણ વિશિષ્ટ છે અને ગહન છે. મહાવીર કહે છે - • એિર્ય ચરિતકર ચારિત હોઇ અહિયા’ - જે અંદર ભરેલું છે. તેને ખાલી કરવું તે ચારિત્ર છે. માણસ કદીય ખાલી નથી થતો. કેટલાય વિચારો, કેટલીય વાસનાઓ, કેટલાંય કર્મોથી માણસ ભરેલો છે. તેને ખાલી થવાનું મહત્ત્વ સમજાતું નથી. અને સમજાય છે તો ખાલી થતાં આવડતું નથી. અંદરથી ખાલી થઈ જવું એ સાધના છે. એ કામ સહેલું નથી. એવું જ બીજું મહત્ત્વનું કાર્ય છે નિગ્રહ કરવાનું - “ચરિણ નિગિણહાડ', અંદરથી સફાઈ થવી જોઈએ અને બહારથી કંઈ કચરો અંદર ન આવવો જોઈએ. આ બન્ને માટેના પારિભાષિક શબ્દો છે – નિર્જરા અને સંવર. નિર્જરા એ ખાલી થવાની પ્રક્રિયા છે. સંવર એ ચારિત્રસમાધિ ૧૭૧– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy