SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જેને મન અને બુદ્ધિ પ્રાપ્ત થયેલાં છે. મનુષ્ય-જીવનમાં જ સાર અને અસારનો વિવેક કરી શકાય છે. જે કંઈ સાર છે તેને પ્રાપ્ત કરી લેવાનો અને જે કંઈ અસાર છે તેને ફેંકી દેવાનો પુરુષાર્થ પણ મનુષ્ય-જીવનમાં થઈ શકે છે. બાળપણ તો મોટે ભાગે અજ્ઞાનમાં વીતે છે પણ જીવ જ્યારથી સમજણના ઘરમાં આવે છે ત્યારથી તે વિચાર કરતો થઈ જાય છે કે આ જીવનનો કંઈ હેતુ ખરો? કે પછી જન્મવું-ખાવું-પીવું-વૃદ્ધ થવું અને છેવટે મૃત્યુ પામવું એટલી જ જીવનની ઘટમાળ છે? સામાન્ય રીતે મોટા ભાગના લોકો ઓઘ સંજ્ઞાથી એટલે કે પરંપરાથી ચાલી આવતી રીતરસમથી જીવન વ્યતીત કરે છે કે વેડફી નાખે છે. પણ જે થોડાક લોકો વિચારશીલ હોય છે તે જીવનના હેતુ વિષે વિચાર કરે છે - ચિંતન કરે છે.. જીવન વિષે વિચાર આવવો એ તત્ત્વજ્ઞાનનું પ્રથમ પગલું છે. બસ, આ પગલાથી અધ્યાત્મ-જીવનની ખરી શરૂઆત થાય છે. આ પહેલાંનું જીવન તાત્ત્વિક અર્થમાં જીવન નથી હોતું. કોઈ પણ કારણે જીવન વિષે વિચાર આવે એવો પ્રથમ પ્રશ્ન એ થાય કે જીવનનો કંઈ અર્થ ખરો ? અર્થ હોય તો તે શું છે? મૃત્યુ નિશ્ચિત છે અને ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તે રીતે તે આવી શકે છે તો પછી જીવનમાં શું મેળવી લેવા જેવું છે અને તે કેવી રીતે મેળવી શકાય એનો સુજ્ઞ પુરુષ વિચાર કરવા માંડે છે. વિચાર કરતાં જીવનનું જે પ્રાપ્તવ્ય લાગે તે સાધ્ય : છે અને તે મેળવવા જે માર્ગ ગ્રહણ કરવામાં આવે તે સાધનાપથ છે. આ માર્ગ ઉપર જે યાત્રા થાય - જે પ્રક્રિયા થાય તે સાધના છે. આપણા જીવનની એ મહાન કરુણતા છે કે મોટા ભાગના લોકો જીવનમાં શું મેળવવું છે એ બાબત પણ સ્પષ્ટ નથી હોતા; ત્યાં સાધનાની તો વાત જ શી કરવી ? જ્યાં સાધનાની વાત ન હોય ત્યાં સાધના કે સાધનાના મર્મ વિષે તો વિચાર જ ક્યાંથી હોય ? જીવ માત્ર સુખનો ઇચ્છુક છે અને સુખ માટે તો તે જીવનભર પ્રવૃત્તિ કરે છે. પણ આ સુખ શું છે ? જીવનની પ્રવૃત્તિ હંમેશાં ઇન્દ્રિયોના વિષયો તરફ રહે છે. ઇન્દ્રિયો કયારેય તૃપ્ત થતી નથી અને સરવાળે – ૨ – ––– મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy