SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાનો મર્મ દ રિ િ આપણો જન્મ અજાણ્યો છે અને આપણું મૃત્યુ પણ એવું અણજાણ્યું છે. બન્ને અજ્ઞાત વચ્ચેનો માર્ગ તે આપણું જીવન છે. જન્મ પહેલાં આપણે હતા કે નહિ અને જો હતા તો કયાં હતા, કેવા હતા તેનો આપણને કંઈ ખ્યાલ નથી. એ જ રીતે મૃત્યુ પછી આપણે હોઈશું કે નહિ હોઈએ અને હોઈશું તો કેવા સ્વરૂપે હોઈશું, કયાં હોઈશું, કેવા સંજોગોમાં હોઈશું તેનો આપણને ખ્યાલ નથી. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી પણ બન્ને વચ્ચેનું જીવન આપણું છે – આપણા હાથમાં આવી ગયું છે. આમ, આપણું જીવન મહામૂલું છે તેથી સુજ્ઞ મનુષ્ય તેનો ઉત્તમ ઉપયોગ કરીને જે કંઈ ઈષ્ટ છે તેને પ્રાપ્ત કરી લેવું જોઈએ. જન્મ અને મૃત્યુ ઉપર આપણો કોઈ કાબૂ નથી અને મૃત્યુ ક્યારે આવીને ઊભું રહેશે તે કહી શકાય તેમ નથી. મનુષ્યજીવન આપણને આપણા ખ્યાલ બહાર મળી ગયું છે. મૃત્યુ પછી જીવન હશે કે નહિ તે કલ્પનાનો વિષય છે, તર્કનો વિષય છે, માન્યતાનો વિષય છે પણ અત્યારે તો આપણા હાથમાં જીવન છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકવાર આ જીવન ખોઈ નાખ્યા પછી શું હશે, શું થશે તે વિષે આપણે કંઈ કહી શકતા નથી તો પછી જે જીવન મળ્યું છે તેને સાધી લેવામાં શાણપણ છે. સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy