SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય રીતે આપણે સક્રિય તો હોઈએ છીએ પણ આપણી સક્રિયતા દોષાત્મક ભાવોમાં વધારે હોય છે. આપણા જીવનમાં હિંસા, ધૃષ્ણા, લોભ, અસહિષ્ણુતા જેવા નિષેધાત્મક ભાવોનું પ્રભુત્વ હોય છે ત્યારે આપણે વધારે સક્રિય બનતા હોઈએ છીએ. વાસ્તવમાં એ આપણી ચંચળતા છે - જે આપણને આપણા મૂળ સ્વરૂપમાં સ્થિર થવા દેતી નથી. જો જીવનના ભાવોને આપણે આંદોલન ગણીએ તો તપને પ્રતિઆંદોલન કહેવું પડે. મહર્ષિ પતંજલિએ આ વાતના સંદર્ભમાં કહ્યું છે કે વિતર્કો પ્રતિપક્ષ ભાવનમ્. જ્યાં દોષો છે ત્યાં પ્રતિપક્ષની ભાવના કરો અને પ્રતિપક્ષને સબળ કરો. આ રીતે તપ એ જીવનમાં અશુભ અને અશુદ્ધ આંદોલનો સામે શુદ્ધ અને શુભ પ્રકંપનો જગાવનારી પ્રક્રિયા છે. તાપમય તપ સાધનાનું ખૂબ મહત્ત્વનું અંગ છે અને તે સમજવા માટે આપણે શરીરની સંરચના સમજવી પડશે. આપણે જેને બહારથી જોઈએ છીએ તે શરી૨ સઘન પરમાણુઓનું બનેલું છે અને તેનું સંઘટન એવી રીતે થયેલું છે કે તે અમુક આકાર ધારણ કરી શકે છે. પણ આપણને જે દેખાય છે તે શરીરથી આપણી વાત સમાપ્ત થઈ જતી નથી. તેની સાથે તરલ પરમાણુઓનું બનેલું શરીર છે. આ પરમાણુઓ સૂક્ષ્મ છે તેથી આપણે તેને જોઈ શકતા નથી. સ્થૂળ શરીરની જે શક્તિ છે, ગતિશીલતા છે, હલનચલન છે એ બધું આ સૂક્ષ્મ શરીરને આભારી છે. આ સૂક્ષ્મ શરીરને તૈજસ શરીર કહે છે. આ શરીર વિદ્યુતનું બનેલું છે છે. આ શરીરમાં પ્રાણશક્તિ પેદા થાય છે તેથી તેને પ્રાણ શરીર પણ કહે છે. થિયđસાઁફીમાં પણ આ વિષે ખૂબ ચિંતન થયું અને તેમને પણ આ વાતની પ્રતીતિ થઈ. તેઓએ તેને ‘એથેરિક બાઁડી' તરીકે ઓળખાવ્યું તેથી પશ્ચિમમાં એ નામ વધારે પ્રચલિત થયું. જ્યારે સ્થૂળ શરીરનો સંબંધ આ પ્રાણશરીર સાથેથી તૂટી જાય છે ત્યારે સ્થૂળ શરીર ખોટકાઈ જાય છે અને જ્યાં જ્યાં એ સંબંધ જળવાયો હોય છે એટલા ભાગનું સ્થૂળ શરીર જ સક્રિય રહે છે. સક્રિયતાનું મૂળ કારણ તૈજસ શરીર છે. જોકે તૈજસ શરીર પણ એક સબળ માધ્યમ છે. તેની ય આગળ જે સૂક્ષ્મતર શરીર રહેલું છે તે છે કાર્પણ શરીર. આ શરીર બધાનું મૂળ છે. - ૫૪ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy