SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (બાવીસ) 'તપસમાધિ બ્રિષ્ટિ હરિ હક જ કોઈપણ ધર્મ હશે પણ તેમાં તપનું સ્થાન તો ક્યાંકને ક્યાંક સામેલ થયું હશે. પછી ભલે કોઈ ધર્મ તપનું વધારે મહત્ત્વ આંકયું હોય કે બીજા ધર્મે તપની તીવ્રતાનો આગ્રહ ઓછો રાખ્યો હોય. સાધનાપથ ઉપર તપ બહુ મહત્ત્વ ધરાવે છે. ઘણીવાર તો સાધના એટલે જ તપ એવો પર્યાય પણ પ્રસ્થાપિત થઈ ગયો હોય છે અને તેને લીધે તપનું હાર્દ સમજવાનું આપણે ચૂકી જઈએ છીએ. તપનું મહત્ત્વ ગમે એટલું હોય પણ છેવટે તો એ સાધન છે એ વાત વીસરાવી ન જોઈએ. તપ, તપ માટે નથી કરવાનું હોતું. આત્માનો આવિર્ભાવ કરવા માટે, આત્માની અસીમ શક્તિઓને ઉદ્દઘાટિત કરવા માટે તપનું આયોજન કરવામાં આવે છે. આત્માનો મૂળ સ્વભાવ અનંત શક્તિ, અનંત અને અવ્યાબાધ સુખ તેમજ અનંત જ્ઞાન છે પણ એના આ બધા ગુણો આવૃત થયેલા છે - ઢંકાયેલા છે. આત્માની આગળ જે બધાં પડળો પડેલાં છે તેને તોડી નાખવા, તેને ખસેડી નાખવા માટે તપ કરવાનું હોય છે. એક વાર સાધ્ય વિષે આપણે સ્પષ્ટ થઈ જઈએ પછી સાધનને સમજવામાં કે તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરવામાં આપણને કયાંય મુશ્કેલી નહિ પડે. તપ એક પ્રકારનું આંદોલન છે - કે પછી પ્રતિ આંદોલન છે. તપસમાધિ ૧૫ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy