SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (વીસ) વિનયસમાધિ વિહ છે ? ધર્મનાં રહસ્યો સૂત્રોમાં ગુંથાયેલાં હોય છે. ધર્મના સામાન્ય આચારવ્યવહારને સમજવો હોય તો ક્યાંય, કંઈ કઠણાઈ નથી પણ જ્યારે ધર્મના હાર્દને પામવું હોય ત્યારે તેનાં સૂત્રોને સમજવાં પડે અને તેનાં ઊંડાણમાં જવું પડે. આવી સમજણને અભાવે ઘણીવાર ધર્મ વિષે ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. ભગવાન મહાવીરે પોતે ધર્મ વિષે બહુ જ ઓછાં કથનો કહેલાં છે. તેમણે જે કંઈ કહ્યું છે તે ઉપરથી સરળ લાગતું હોય છે પણ તે ખૂબ ઊંડાણવાળું હોય છે. જો ઉપર ઉપરથી જોઈએ તો ધર્મના મર્મને ચૂકી જવાય. ભગવાન મહાવીરે એક જગ્યાએ કહ્યું છે કે “ઇંગિયાગાર સપને' એટલે ઈંગિત અને આકારમાં સંપન્ન બનો. આ સૂત્ર ઘણું માર્મિક છે. એનો અર્થ છે કે જે કહેવામાં આવે છે એટલી જ વાતને ન પકડો પણ તેના આકારને, તેના સૂચનને પકડો. વસ્તુને કહેવાની રીત, તેનો ઈશારો ઘણો મહત્ત્વનો છે. શબ્દ કરતાં ધ્વનિનું ઘણું મહત્ત્વ છે. આટલા બે શબ્દોમાં ભગવાને વિનયનો મહિમા દર્શાવ્યો. વિનય એ કંઈ વ્યવહાર નથી. આપણે તો વિનયને વાણીના વ્યાપાર કે બહુ થાય તો થોડાક વંદનથી આગળ સમજ્યા જ નથી. વિનય અંદરથી ખાલી થયા વિના આવે નહિ. ભરેલા પાત્રમાં વધારે જળ સમાઈ શકે નહિ. આપણું – ૧૦. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy