SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકાને સ્પર્શતાં ભેદજ્ઞાન થઈ જાય છે એટલે કે શરીર અને આત્મા બન્ને અલગ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે જેથી આસક્તિનો ભાવ વિલીન થઈ જાય છે. પ્રકંપનોનો હેતુ આપણે જોઈ ગયા કે સમસ્ત સંસાર પ્રકંપનોનો છે અને આપણી પ્રત્યેક પળ પ્રકંપનોથી ભરપૂર હોય છે. સ્વાભાવિક છે આપણને વિચાર આવે કે આપણામાં પ્રકંપન કોણ પેદા કરે છે ? અને મનુષ્યમાં પ્રકંપનના મૂળભૂત બે હેતુ છે : ચગ અને દ્વેષ. આ બન્ને પ્રાણીમાત્રની મૌલિક મનોવૃત્તિઓ છે. રાગથી પ્રેરાઈને આપણને વસ્તુજગત કે ચેતનજગત પ્રતિ આકર્ષણ થાય છે. દ્વેષથી પ્રેરાઈને વસ્તુજગત કે ચેતનજગત પ્રતિ વિકર્ષણ થાય છે. આમ, આપણામાં સતત આકર્ષણ અને વિકર્ષણનું ચક્કર ચાલતું રહે છે જે સતત તરંગો ફેંકતું રહે છે. આપણી રાંગચેતના બે રૂપોમાં પ્રગટે છે ઃ એક છે લોભ અને બીજી માયા. જ્યારે દ્વેષની ચેતના ક્રોધ અને અભિમાનના રૂપે પ્રગટ થાય છે. આ ચારેય સ્વરૂપોની ચેતના પણ વિવિધ રીતે પ્રગટ થાય છે. વળી દરેક પ્રકારની ચેતનામાં પણ તરતમતા હોય છે. ક્રોધ, માન, માયા, લોભ એ દરેકમાં પણ તરતમતા પ્રમાણે વળી ભેદ પડે છે - જેવાં કે ગાઢતમ, ગાઢતર, ગાઢ અને પ્રતનુ. રાગ-દ્વેષની ચેતના જે ચાર સ્વરૂપે - ક્રોધ, માન, માયા અને લોભના સ્વરૂપે પ્રગટે છે તેને એક જ શબ્દથી ઓળખવી હોય તો કષાય ચેતનાના નામે ઓળખી શકાય. કષાય ચેતનાની ગાઢ અવસ્થા હોય છે ત્યારે ધ્યાન કરવાની ક્ષમતા રહેતી નથી. ધ્યાનમાં જવા માટે પ્રકંપનોને શાંત અને ક્ષીણ કરવાં પડે છે. કષાય ચેતનાના પ્રથમ સ્તરે કે ધ્યાનમાં જતાં તે શાંત અને ક્ષીણ થવા લાગે છે. પ્રકંપનો શાંત અને ક્ષીણ થાય ત્યારે ધ્યાનની પ્રથમ અવસ્થાનું નિર્માણ થાય છે જેને સમ્યકત્વ ચેતના તરીકે સાધનામાર્ગમાં ઓળખવામાં આવે છે. કષાય ચેતનાનાં પ્રકંપનો એથી આગળની કક્ષાએ વધારે શાંત અને ક્ષીણ થાય ત્યારે તેને વ્રત ચેતના કહે છે. એનાથી આગળના સ્તરે પ્રકંપનો વળી વધારે પ્રમાણમાં ઓછાં થઈ જાય છે અને ૧૦૬ મહાવીરની સાધનાનો મર્મ ――――――――――― Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy