SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ધબકાર વિના આપણું જીવન એ જીવન ન રહે. એના પ્રત્યેક ધબકાર સાથે આપણને જીવનની પ્રતીતિ થાય છે. જ્યારે એ ઘબકાર વિરમી જાય છે ત્યારે આપણા જીવનનો અંત આવે છે. આ ચારેયને ગતિશીલ કરનાર પ્રાણની ધારા છે. આ પ્રાણની ઘારા આ ચાર સાથે સતત જોડાયેલી રહે છે અને તેથી તો આપણે જીવંત છીએ. પણ આ પ્રાણની ધારાનો મૂળ સ્રોત કયાં છે ? આ પ્રાણધારાનું મૂળ આપણી ચૈતન્ય શક્તિમાં છે. આપણી ચેતનામાંથી પ્રાણની ધારાઓ નીકળે છે જે આપણા સમગ્ર જીવનને ધબકતું રાખે છે પણ ચૈતન્યમાંથી જે પ્રાણધારા નીકળે છે તે સંપૂર્ણ શુદ્ધ ધારા નથી હોતી. તે સૌથી પહેલાં આપણા કર્મ શરીરને સ્પર્શે છે અને ત્યાં તેની સાથે કર્મના પરમાણુઓ ભળી જાય છે. આમ, જે પ્રાણધારા આપણી અંદર વહે છે તે કર્મથી પ્રભાવિત થયેલી- અશુદ્ધ હોય છે. આ પ્રાણધારા શરીરના જે અંગ કે ઉપાંગ સાથે જોડાય છે તેને તે સક્રિય કરે છે. આ પ્રાણધારાના સ્પર્શથી જ આપણે સચેતન રહીએ છીએ. આ પ્રાણધારા આપણા શરીર, વાણી, શ્વાસ અને મન દ્વારા પ્રગટ થાય છે. આ ચારેયમાં પ્રધાનતા મનની છે. કારણ કે સૌને ચંચળ બનાવવામાં મનનો મોટો ફાળો છે. આમ, મન એ આપણા જીવનની પ્રત્યક્ષ સત્તા છે. તેના સંચાલન પ્રમાણે મોટેભાગે આપણા જીવનનો વ્યવહાર ચાલે છે. છતાંય મન સર્વસત્તાધીશ નથી કારણ કે તેને સક્રિય કરનાર પ્રાણધારા છે. તેના વિના મન પણ પાંગળું બની જાય અને તેનું અસ્તિત્વ જ ન રહે. આમ જોઈએ તો આપણા જીવનનું મૂળભૂત રીતે સંચાલન કરનાર ચૈતન્ય સત્તા છે જેમાંથી પ્રાણધારા નીકળે છે પણ તે પ્રત્યક્ષ થાય છે મન દ્વારા. આમ, આપણું જીવન ચૈતન્યની પરોક્ષ સત્તા અને મનની પ્રત્યક્ષ સત્તા બંનેની વચ્ચે રહેલું છે, પણ મનની પ્રત્યક્ષ સત્તા એટલી પ્રબળ છે કે જે આપણને ચૈતન્યની પરોક્ષ સત્તા સુધી પહોંચવા જ દેતી નથી. પરોક્ષ સત્તા ખૂબ શક્તિશાળી છે પણ મન આપણને તેના સુધી પહોંચવા દેતું નથી. મનની પ્રત્યક્ષ સત્તાને અવગણીને કે તેને નિયંત્રણમાં લઈને ચૈતન્યની પરોક્ષ સત્તા સુધી પહોંચવાનો જે માર્ગ તે સાધનાનો માર્ગ છે. આમ, સાધનાપથ ઉપર આગળ વધવા માટે મનને સમજવું પડે, તેને હઠાવવું પડે. તે શક્ય ન હોય તો તેને નિયંત્રણમાં ધ્યાનર - હ્ય – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy