SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ ધ્યાનસૂત્ર સાધનામાર્ગમાં ધ્યાનનું ખૂબ મહત્ત્વ છે કારણ કે તેના જેવી કોઈ અસરકારક સાધના નથી. આજકાલ ધ્યાનમાર્ગ ખૂબ પ્રચલિત બન્યો છે ખરો પણ તેના વિષે સમજણ કરતાં અણસમજ વધારે પ્રવર્તે છે. આજે ઘણી જગ્યાએ ધ્યાનની જે પ્રક્રિયાઓ કરાવવામાં આવે છે તેને સાચા અર્થમાં ભાગ્યે જ ધ્યાન કહી શકાય. ધ્યાન સાગર જેવું ઊંડું અને ગહન છે અને સામાન્ય રીતે આજે જે પ્રકારનાં ધ્યાનોનો પ્રચાર થાય છે તે ઉપરછલ્લો હોય છે જે ભાગ્યે જ ધ્યાનના હાર્દ સુધી આપણને લઈ જઈ શકે તેમ છે. વિષયનું મહત્ત્વ અને તેના વિષે પ્રવર્તમાન ગેરસમજ જોતાં આ વિષય ઉપર ચિંતન કરવાની આવશ્યક્તા ઘણી વધી જાય છે. ધ્યાન ઉપર વિચાર કરતાં પહેલાં આપણે થોડોક વિચાર તેને લગતી અન્ય બાબતો ઉપર પણ કરવો રહ્યો જેથી આગળ ઉપર આપણે વધારે સ્પષ્ટ થઈ શકીએ. મોટે ભાગે આપણું જીવન ઇન્દ્રિયોના સંવેદનનું જીવન છે અને તેનું સંચાલન અને અનુભૂતિ કરવામાં મનની પ્રધાનતા રહેલી છે. મન એ આપણા જીવનની પ્રત્યક્ષ સત્તા છે જેને આધીન રહીને આપણે મોટેભાગે જીવીએ છીએ. આપણે જીવીએ છીએ તેની પ્રતીતિ કરાવનાર ચાર વસ્તુઓ છે. શરીર, વાણી, શ્વાસ અને મન. આ ચારના મહાવીરની સાધનાનો મર્મ હા ❀❀❀❀❀❀❀ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy