SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તેર ભોજનનો વિવેક સાધના એ એવો વિષય છે કે જીવનની કોઈ પણ વાત તેના વ્યાપ હેઠળ આવ્યા વિના રહે નહિ. સાધના બાબત આપણે જો એક જ વાત ઉ૫૨ ધ્યાન આપીને બેસી રહીએ તો સાધનાની વાત અધૂરી રહી જાય. આપણે ત્યાં એવી પણ એક માન્યતા છે કે સાધનાને તો ફક્ત યોગ-પ્રાણાયામ, આસન, ધ્યાન એવી બાબતો સાથે જ સંબંધ છે. આવી માન્યતાને લીધે સાધનામાં ઘણીવાર મહત્ત્વની બાબતોની ઉપેક્ષા થઈ છે. ભારે ભડખમ વાત હોય તો જ સાધના કહેવાય અને નાની બાબતનો સાધનામાં સમાવેશ ન થઈ શકે એ માન્યતાને લીધે આપણી સાધનાનો પાયો ઘણીવાર બોદો રહી જાય છે. - આપણે જીવન ધારણ કરીએ છીએ એ વાત તો નિશ્ચિત છે. જો આપણે જીવનના ઉદ્દેશ વિષે કંઈ વિચાર ન કરીએ તો આપણામાં અને પ્રાણીઓમાં ઝાઝો તફાવત ન રહે. પ્રાણી માત્ર જીવે તો છે જ પણ મનુષ્ય જ ફક્ત એવું પ્રાણી છે કે જે જીવન વિષે વિચાર કરી શકે છે. વિચારશીલ વ્યક્તિ સારી પેઠે સમજે છે કે આ જીવનનો કશો ભરોસો નથી. ગમે ત્યારે પ્રાણથી ધબકતું આ શરીર નિશ્ચેતન થઈને ઢળી પડી શકે છે માટે જ્યાં સુધી શરીરમાં પ્રાણ ધબકી રહ્યો છે ત્યાં સુધી કંઈ ભોજનનો વિવેક ૮૯ Jain Educationa International For Personal and Private Use Only - www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy