________________
પર
શ્રીમદ્ રાજચંદ્ર આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયે નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. “આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાન્તિરહિતપણાસહિત વર્તવાથી મુક્તિ છે” એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આમા પ્રત્યેક છે. જગતની ભ્રાંન્તિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાન્તિ ટળી ગઈ એમ આશય સમજવાનું છે,
રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં.
માયાકપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે છે તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જુઠું બોલવું પડયું હોય, અને પશ્ચાત્તાપ કરે, તે પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે.
સત અને લોભ એ બે ભેળાં શું કરવા જીવ
જાણે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org