________________
શ્રીમદ્ રાજચંદ્ર ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપજયું છે. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હેય નહીં, માટે આપ ક્ષમાપના લે.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ આ વખતે ભૂલ ખાય છે, તે પણ ભૂલ ખાઓ છે એમ કહેવું યોગ્ય નથી; ગુરૂ છે માટે શાતિથી કહેવું યેગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ ! સદ્દભૂત વચનને મિચ્છા મિ દુક્કડે કે અસભૂત વચનને મિચ્છા મિ. દુકડે?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદૂભૂત. વચનને મિચ્છા મિ દુક્કડ.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું :
મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.” એટલે (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી. પાસે જઈ હકીકત કહી છે. મહાવીરસ્વામીએ કહ્યું, “હે. ગૌતમ ! હા આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના . તહત ” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જે ગૌતમસ્વામીમાં મેહ નામને મહા સુભટ પરાભવ પામ્યો ન. હત તે ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે “મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે. તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તે નહીં જાઉં;” તે તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પિતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org