________________
[ ૬૪૩ ] [ ૬૪૩-૧ ]
ઉપદેશછાયા'
૯૫૭ કાવિઠા, શ્રાવણ વદ ૨, ૧૯૫૨
૧
સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવા પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ આદિ પ્રસંગ ત્યાગી શકીશ તા તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી; અર્થાત્ મૂળ જ્ઞાનમાં જો કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી. જશે એવી ભાવનાથી જ્ઞાનીપુરુષ પણ વર્તે તે જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વધુ માનાદિ જ્ઞાનીપુરુષા અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ. વિજોગી, વિભાગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાય કર્યું. માટે આને આમ કહીશું તેા ઠીક, અથવા માને આમ નહી કહેવાય તા ખાટુ' એ વગેરે વિકલ્પે સાધુ-મુનિઓએ ન કરવા.
નિવ"સ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહી' તેવાં પરિણામ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org