________________
૧૧૨
શ્રીમદ્ રાજચંદ્ર બાંધે. મિથ્યાત્વરૂપી બળની ગાંઠ મટી છે, માટે બધે રેગ કયાંથી મટે? જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાયિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ અને તેથી બીજા ગુણે પ્રગટે જ.
સમક્તિ છે તે દેશ ચારિત્ર છે; દેશે કેવળ જ્ઞાન છે.
શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષને સાવ નિષેધ નથી. જેમ આગગાડીને રસ્તે છે તેની મારફતે વહેલા જવાય ને પગરસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મોક્ષને રસ્તે. પગરસ્તા જે હોય તે તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તે વહેલા જવાય, કોઈ રસ્તો બંધ નથી. આ રીતે મેક્ષમાર્ગ છે તેને નાશ નથી. અજ્ઞાની કલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છેદે કલ્પના કરી, જીને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગ બાળભેળા જ અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બંને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આ કુટારો જનમતમાં વિશેષ થયે છે.
સાચા પુરુષને બેધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યને લૂંટી લીધા છે. કેઈ જીવને ગચ્છને આગ્રહ કરાવી, કઈ ને મતને આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબને દઈને સાવ લુંટી લઈ મૂંઝવી નાંખ્યા છે, મનુષ્યપણું લુટી લીધું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org