________________
૧૦૨
શ્રીમદ્ રાજચંદ્ર સમકિત તગારાં નથી. મન, વચન અને કાયા વ્યવહાર સમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર ગ માલુમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. મન, વચન, કાયા ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય; મન તે કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના મને ચપળ હોય પણ આત્મા ચપળ હોય નહી. આત્મા એથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં.
જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણ તે. દર્શન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. “ચારિત્ર એટલે આત્મા સ્થિર થાય તે.
આત્મા ને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહી અથવા દેહને લગતા બીજા ભાવ નહિ પણ સદ્દગુરુને આત્મા એ સદ્દગુરૂ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તે જ્ઞાનીની અપૂર્વ વાણું મમજાય.
બેટી વાસના=ધર્મના બેટા સ્વરૂપને ખરું જાણવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org