SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તિવિહેણ વદામિ થતું જાય છે એ વિશે પોતે સ્વસ્થતાપૂર્વક, સમતાપૂર્વક સભાન હતાં એ એમની વાતચીત પરથી સ્પષ્ટ થતું હતું. કેન્સરના વ્યાધિને કારણે તેમને શારીરિક પીડા અસહ્ય રહેતી. થાડુંક ખેલતાં હાંક ચડી જતા. પંદર-પચીસ મિનિટથી વધારે એસી શકાતું નહિ. તરત સૂઈ જવું પડતું. વળી પાછી સ્વસ્થતા આવે એટલે એઠાં થાય. વાતચીત કરે. કાને ઓછું સંભળાતું એટલે બીજાઓને માટેથી મેાલવાનું કહેતાં. એ પણ ખરાખર ન સમજાય એટલે એમની શિષ્યાએ એમના કાન પાસે માટેથી ફરીથી તે તે વાકયો લે અને મૃગાવતીજી તે પ્રમાણે પ્રસન્ન વદને ઉત્તર આપે. એમની શારીરિક અસ્વસ્થતા આટલી બધી હોવા છતાં એમનું આત્મિક ખળ ઘણું મોટું' હતું. આગલે દિવસે બહારગામથી પધારેલાં ઘણાંબધાંની સાથે સતત વાતચીત કરવાના પરિશ્રમ થયા હતા. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિન મંદિર માટેની જિન પ્રતિમાઓની એવી. ખેલવાના કાર્યક્રમ હતા. એટલે એ દિવસે સભામાં પાંચ-છ કલાક સતત બેસવું પડે એમ હતું. પૂજ્ય મૃગાવતીજીનું આત્મબળ એટલું માટું હતું કે સતત પાંચ-છ કલાક સુધી. તે સ્વસ્થતાપૂર્વક બેઠાં અને કાર્યક્રમ દરમ્યાન પ્રાસંગિક વક્તવ્ય પણ રજૂ કર્યુ. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની સભા હતી. તેમાં પણ લગભગ અઢી કલાક તેએ સ્વસ્થતાપૂર્વક બેઠાં હતાં અને દોરવણી આપતાં રહ્યાં હતાં. એ પ્રસંગે શરીરની અંદર અસહ્ય પીડા છતાં પ્રસન્ન અને સસ્મિત વને બધી કાર્યવાહીમાં એમણે ભાગ લેતાં અમે જોયાં ત્યારે એમની આ આત્મિક 13 ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy