SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ શક્તિની સવિશેષ પ્રતીતિ થઈ હતી. - પૂજ્ય મૃગાવતીજીના કાળધર્મના આગલા દિવસે ૧૭મી જુલાઈએ અત્યંત ગભીર બીમારીના, અંતિમ ઘડીના સમાચાર ઠેર ઠેર પ્રસરી ગયા. સેંકડે માણસે દિલ્હી પહોંચી ગયા. મારા મિત્ર શૈલેશભાઈ ઠારી પણ વિમાનમાં દિલ્હી પહોંચી ગયા. હું સંજોગવશાત્ ન જઈ શક્યો. મૃગાવતીજી તદ્દન અશક્ત થઈ ગયાં હતાં, પરંતુ વાતચીત કરી શકતાં હતાં. શલેવભાઈને જોતાં જ એમણે પ્રશ્ન કર્યો, “પ્રેફેસર રમણભાઈ નથી આવ્યા?” શૈલેશભાઈએ મુંબઈ પાછા આવીને જ્યારે આ વાત મને કરી ત્યારે પૂજ્ય મૃગાવતીજીએ અંતિમ ઘડીએ પણ મને યાદ કર્યો એથી ધન્યતા અનુભવી. પૂજ્ય મૃગાવતીજીના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર વલભ સ્મારકમાં થયો એમાં પણ કેઈ દૈવી સંકેત હશે ! એ પ્રસંગે એમની સ્મૃતિ માટે લાખો રૂપિયાનું ફડ થોડા કલાકમાં જ થયું એ પણ જેવીતેવી વાત નહતી. પૂજ્ય મૃગાવતીજીના હૈયામાં સર્વ પ્રત્યે પ્રેમને, કલ્યાણને સ્રોત એટલે બધે વહેતે રહ્યો હતો કે અગ્નિસંસકાર વખતે સિત્તેર–એંશીની ઉંમરનાં માણસે પણ બેલતાં હતાં કે, “આજે અમે જાણે અમારી માતા ગુમાવ્યાનું દુઃખ અનુભવીએ છીએ.” પૂજ્ય મૃગાવતીજીને આથી વધુ સુંદર અંજલિ કયા શબ્દોમાં હેઈ શકે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy