SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી તવાનંદવિજયજી મહારાજ કહ્યું કે તીર્થંકરો જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેશના આપતાં પહેલાં ચતુર્વિધ સંઘને વંદન કરે, કારણ કે સંઘ એ તીર્થરૂપ છે. તેઓ “નમે સંઘમ્સ, નમે તીથ્થસ્સ” એમ કહ્યા પછી દેશના શરૂ કરે છે. એવી જ રીતે તીર્થકરે નિર્વાણ પામે ત્યારે એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે તમે સંઘસ્ય, નમે તીથ્થસ.” પૂજ્ય મહારાજસાહેબ સાથે તે દિવસે અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, કેવળી ભગવંત, ચૌદ પૂર્વધર સાધુઓ વગેરે વિશે ઘણું વાત નીકળી. તેઓ ખૂબ ઉત્સાહમાં ને ઉલાસમાં હતા. તેમણે કહ્યું કે પિતે અંદરથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને અંદરનો પ્રકાશ જાણે વધતે જતે હોય તેવું અનુભવાય છે. તે દિવસે તેમની તબિયત એટલી સારી હતી કે તેઓ આટલા જલદી કાળધર્મ પામશે એમ માની ન શકાય. તેમની ઉંમર પણ એવી મોટી નહોતી. તેમને હજ સાઠ વર્ષ પણ પૂરાં થયાં ન હતાં. પરંતુ તેઓ સમાધિ લઈ જીવન પૂરું કરશે એ અણસાર મને આવતે હતે. પૂ. તરવાનંદવિજયજી મહારાજ કચ્છના સહેરા ગામના વતની હતા. એમના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ સેનાબાઈ હતું. એમને જન્મ કારંજામાં થયેલ હતું અને એમનું નામ તેજપાર રાખવામાં આવ્યું હતું. તેમણે કચ્છ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો હતું. કોલેજમાં ઈન્ટર સુધીનો અભ્યાસ પછી તેમણે બે વર્ષ નેકરી કરી હતી. દરમિયાન તેઓ પૂ. શ્રી લક્ષમણુસૂરિજીના સંપર્કમાં આવ્યા અને એમને દીક્ષા લેવાની ભાવના થઈ. પચીસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy