SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તિવિહેણ વક્રાિ દુષ્કાળ–રાહત, રેલરાહત વગેરે સામાજિક કાર્યો માટે પણ એમણે ઘણી પ્રેરણા આપી છે. એમના ઉપદેશથી છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ પ્રવૃત્તિઓમાં પચાવન કરેાડથી વધુ રૂપિયાની રકમ ખર્ચાઈ છે. એ ઉપરથી પણ તેમની સુવાસ, શક્તિ અને ષ્ટિને પરિચય મળી રહે છે. વિ. સ’. ૨૦૩૫માં વઢવાણમાં જ્યારે એમના અમૃત મહાત્સવ ઊજવવા માટે ઘણું મોઢુ. ફંડ એકત્રિત થયું તે વખતે મારખીમાં રેલ આવતાં એ તમામ રકમ મારખીના રાહતકાય માટે વાપરવાની એમણે સૂચના આપી હતી, જે એમની સમયજ્ઞતા દર્શાવે છે. શ્રી વિજયધર્મસૂરિજીના પ્રભાવ એવા માટો હતા કે કેટલાયે માણસા યથાશક્તિ જાહેર કા માટે પોતે જે રકમ દાન તરીકે વાપરવા ઈચ્છતા હેાય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીક વાર મહારાજશ્રીની સૂચના અનુસાર એ રકમ વાપરવાને માટે કેટલાક દાતાઓને એક-બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજશ્રીને કોઈ પણ નવું. કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય રહેતે નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખા રૂપિયાનાં વચને અગાઉથી તેમને મળેલાં રહેતાં. કેઈ પણ કાર્ય માટે મહારાજશ્રી ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં થઈ જતાં. ૪૨ પૂજ્ય આચાર્ય મહારાજને પગલે પગલે ઉત્સવ થત. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ. આપોઆપ સાઈ જતું. કેટલેક સ્થળે સ્થાનિક માણુસે વચ્ચે સુમેળ ન હોય તે સુમેળ સ્થપાઇ જતા. સુમેળ સ્થાપવા For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy