SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત થે સમય ચાલેલી. પૂ. રામચન્દ્રસૂરિ મહારાજે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલહી, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારોમાં સ્થળે સ્થળે વિહાર કરી પિતાની પ્રભાવક વાણીને લાભ અનેક લેકેને આપ્યું હતું. અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં “રામા. યણમાં સંસ્કૃતિને આદર્શ ઉપરનાં તેમનાં વ્યાખ્યાને, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાને, રાજગૃહીમાં આગમસૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાન વગેરે અનેક લેકેને આકર્ષિત કર્યા હતા. એમના વ્યાખ્યાન દરમિયાન કેઈ પણ વ્યક્તિને કઈ પણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીય વાર તે આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરરૂપ બની જતું. તેઓ વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાન વયે એમને અવાજ બુલંદ હતું અને હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સે નથી. અશક્તિ હોય, નાદુરસ્ત તબિયત હેય તે પણ તેઓ પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં વર્ષોમાં તે એમને અવાજ બધા શ્રેતાઓ સુધી પહોંચતે નહિ, તે પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જાળવીને એમના શબ્દોને પકડવા પ્રયત્ન કરતા. કેટલાય લોકોને એમના પ્રત્યે શ્રદ્ધાપૂર્વકને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy