SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તિવિહેણુ વંદાગ્નિ પૂ. પ્રેમવિજ્યજી મહારાજનું આ વાક્ય ત્રિભુવનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે ચેડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈને પિતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય ઓછો હતે (ઓછો હોય એ જરૂરી પણ હતું.) એને દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડેદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તે તાત્કાલિક કાયદાને કઈ પ્રશ્ન ઊભું ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબુસર ગામે પહોંચવાનું કહ્યું. માસર રેડ પહોંચી ત્યાંથી પગે ચાલીને જબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠો. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પિતાના ગામના કેઈ માણસ પોતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયાં નીચે સૂઈને સંતાઈ ગયે હતું. સાંજના માસર રોડ પહોંચીને પગપાળા ચાલીને તે જબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચે. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમેદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમેદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું, અને જેની વસતી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજ્યજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy