________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ
ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલે ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પિસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દીક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી, પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા હતા અને કહ્યું હતું કે આ છોકરો દીક્ષા લીધા વગર રહેશે નહિ.
એ દિવસોમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં પણ ત્રિભુવનના સગાઓએ છાપામાં નેટિસ છપાવી હતી કે “કેઈએ ત્રિભુવનને દિક્ષા આપવી નહિ. જે કઈ દીક્ષા આપશે તેની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.”
કિશોર ત્રિભુવને દીક્ષા લેવાને અડગ નિશ્ચય કર્યો હતો, પરંતુ તેની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતા. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુભગવંતે પણ વિમાસણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરા નામના ગામમાં થયું હતું તે વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપર જવાને લીધે પૂ. દાનવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયે હતે. પિતાની દાદીમાની હયાતી સુધી દીક્ષા ન લેવાને વિચાર જ્યારે એણે પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું, ‘ત્રિભુવન! કાળની કેને ખબર છે? જેને ખબર છે કે તું પહેલાં જઈશ કે દાદીમા પહેલાં જશે?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org