________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ
સુવિશાલ ગચ્છાધિપતિ, સંઘ-સ્થવિર, જૈન શાસનના મહાન તિર્ધર, યુગપુરૂષ, પરમ ગીતાર્થ પૂજયપાદ આચાર્ય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૯૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪. (તા. ૯-૮-૧૯૯૧) ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન શાસનને એક મહાન આચાર્યપ્રવરની ભેટ પડી છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી એમની તબિયત નબળી રહેતી હતી, તેમ છતાં તેઓ અપ્રમત્ત રહેતા. તેઓ રાત્રે માત્ર બે કલાકની નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓ અમદાવાદ પધાર્યા હતા અને અંતિમ શિષ્ય મુનિ હિતરુચિવિજયની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. - પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજીનું ૭૯ વર્ષનું સુદીર્ઘ દીક્ષા જીવન સંખ્યાબંધ મહત્વની ઘટનાઓથી સભર હતું. એમનું જીવન એટલે ઇતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોને ઈતિહાસ પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી ના જીવન અને કાર્યની નોંધ વિના અધૂરો ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org