________________
તિવિહેણ વંદસિ દેઢ વાગી ગયા હશે. બધા અર્થ બરાબર સંતકારક રીતે બેસી ગયા. કામ પત્યું એટલે મહારાજશ્રી પાસે માંગલિક સાંભળીને હું નીકળતું હતું. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, રમણભાઈ, મુંબઈ પહોંચે એટેલે હમસાગરસૂરિને મારી વંદના કહેજો.” મેં કહ્યું, ‘પણ મહારાજશ્રી, હેમસાગરસૂરિ તે આપના કરતાં ઉંમરમાં, દક્ષા પર્યાયમાં, જ્ઞાનમાં ઘણા જ નાના છે. આપની વંદના હેય?” એમણે કહ્યું, “એ ગમે તે હોય, પણ તેઓ આચાર્ય છે અને હું મુનિ છું. એટલે મારે જ એમને વંદના કરવાની હોય!” મહારાજશ્રીની આવી ઉચ્ચ, ઉદાત્ત, વિનમ્ર ભાવનાથી હું બહુ પ્રભાવિત થયે હતે.
જીવનનાં વિવિધ ક્ષેત્રમાં મહાન ગણાતી કેઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકને આપણે અનુભવ એકસરખે નથી હેતે. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવીએ છીએ અને જેમ જેમ એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલાં અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરા યણ દષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઇત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે. અને વખત જતાં લેકદષ્ટિએ મહાન ગણાતા એ પુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહામા આ હોય છે કે જેમના નિકટના સંપર્ક માં જેમ જેમ આપણે આવતા જઈએ તેમ તેમ તેમના ચારિત્ર્યનાં આપણને ખબર ન હોય એવા ઉજજવળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org