SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તિવિહેણ વંદામિ વામાં આવી હતી, તેમજ એમનું નામ મુનિ અરુણોદયસાગર રાખવામાં આવ્યું હતું. અને એમને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આમ પિતા-પુત્ર ગુરુ-શિષ્ય બન્યા હતા. ત્યારપછી વિ.સં. ૨૦૨ લ્માં નરેડા તીર્થમાં એમને પંન્યાસની પદવી આપવામાં આવી તે વખતે એમનું નામ અમયસાગરજી રાખવામાં આવ્યું હતું. એમણે ન્યાય, વ્યાકરણ, અલંકાર વગેરેનું ઊંડું અધ્યયન કર્યું હતું. અભયસાગરજી મહારાજે છેલ્લાં કેટલાંક વર્ષો જબુદ્વીપ, જેન ખગોળ અને આધુનિક ખેળે વચ્ચે ક્યાં કેટલે. તફાવત છે એના અભ્યાસમાં ગાળ્યાં. અમેરિકાએ ચંદ્ર ઉપર માનવી ઉતાર્યા એ વાત બેટી છે, તેઓ અવકાશમાં અન્ય કોઈ સ્થળે ઊતર્યા છે અને સૂર્ય ચંદ્રરૂપી દેવવિમાનની જે વાતે આવે છે અને અમેરિકાએ જે સંશોધન કર્યું છે એ બંને જુદાં જુદાં છે એવું સિદ્ધ કરવા માટે એમણે ઘણે સમય આપ્યું. “ઉત્તરધ્રુવની શેધસફર” નામનું મેં એક પુસ્તક લખ્યું હતું કે તેઓ ત્રણ-ચાર વાર બરાબર વાંચી ગયા હતા અને ઉત્તરધ્રુવમાં ત્રણથી પાંચ-છ મહિના જેટલી દીર્વરાત્રિ પછી જે સૂર્ય ઊગે છે તે એને એ જ સૂર્ય છે કે બીજે એનું સંશોધન કરવાની એમની ખૂબ ઈચ્છા હતી. પરંતુ મેં કહેલું કે, “એ માટે આપણી સરકારની અને પરદેશની તે તે દેશની સરકારની સંમતિ જોઈએ, વિદેશી હૂંડિયામણું જોઈએ. આપણું એ કામ નહિ, કારણ કે આધુનિક સાધનથી. સુસજજ એવી પ્રગશાળા ત્યાં ઊભી કરીને પાંચ-સાત નિષ્ણાત માણસોને રોકવામાં આવે તે જ આ કાર્ય થઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy